Last Updated on by Sampurna Samachar
અમેરિકાએ ભારત પર લગાવ્યો ૨૫ ટકા ટેરિફ
ટેરિફ ભારતના અર્થતંત્ર અને રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ભારત વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી કે, અમેરિકા ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલી રહી હતી. હવે ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર આ અંગે માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, ભારતની અમેરિકામાં નિકાસ ૨૨.૮ ટકા વધીને ઇં૨૫.૫૧ બિલિયન થઈ છે, જ્યારે આયાત ૧૧.૬૮ ટકા વધીને ઇં૧૨.૮૬ બિલિયન થઈ છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત અમેરિકન માલ પર ઊંચા ટેરિફ લાદે છે, જેના જવાબમાં આ “પારસ્પરિક ટેરિફ” લાગુ કરવામાં આવ્યો છે. આ ટેરિફ ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી અમલમાં આવશે. હવે આ અંગે વાટાઘાટો ઓગસ્ટના બીજા અઠવાડિયા પછી ફરી શરૂ થઈ શકે છે.
ભારત એક સારો મિત્ર રહ્યો છે
આનાથી ભારતીય નિકાસકારો પર, ખાસ કરીને ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રોમાં, ઊંડી અસર પડી શકે છે. ભારત સરકારે આ ર્નિણયનો અભ્યાસ શરૂ કર્યો છે અને વેપાર વાટાઘાટોને ઝડપી બનાવવાની વાત કરી છે. નિષ્ણાંતો માને છે કે, આ ટેરિફ ભારતના અર્થતંત્ર અને રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે છે.
અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, જો આ અઠવાડિયે ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં નહીં આવે, તો ભારતને ૨૫% સુધીની આયાત ડ્યુટી (ટેરિફ) નો સામનો કરવો પડી શકે છે. જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, જો કરાર ન થાય તો શું ભારતે વધુ ટેરિફ ચૂકવવા પડશે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, “હા, મને એવું લાગે છે.”
અમેરિકાએ ભારત અને કેટલાક અન્ય દેશોને ૧ ઓગસ્ટની સમયમર્યાદા આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, કાં તો તેઓએ આ તારીખ સુધીમાં વેપાર કરાર કરવો જોઈએ અથવા તેમને વધેલા ટેરિફનો સામનો કરવો પડશે. ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ભારત, ભલે અમેરિકાનો મિત્ર દેશ હોય, પરંતુ વેપારની દ્રષ્ટિએ ક્યારેય સંપૂર્ણ સહકારી રહ્યું નથી. તેમણે પોતાના નિવેદનમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો.
ઉચ્ચ ટેરિફ અને વેપાર અવરોધો : ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે. તેમના મતે, ભારતના બિન-નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને વાંધાજનક છે. આ જ કારણોસર અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે.
રશિયા પર ર્નિભરતા : ટ્રમ્પે પોતાના નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો કે ભારત લશ્કરી સાધનોની ખરીદી માટે મોટે ભાગે રશિયા પર ર્નિભર છે. વધુમાં, તેમણે જણાવ્યું કે ભારત ચીનની સાથે રશિયા પાસેથી ઊર્જાનો સૌથી મોટો ખરીદનાર પણ છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે આખી દુનિયા રશિયા યુક્રેનમાં હિંસા બંધ કરે તેવી ઈચ્છા રાખે છે.
પરિણામ અને ‘સ્છય્છ‘ નો નારો: આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતે ઓગસ્ટ ૧ થી ૨૫% ટેરિફ સાથે દંડ ચૂકવવો પડશે. તેમણે આ નિવેદનના અંતે પોતાના જાણીતા સૂત્ર “સ્છય્છ!” (અમેરિકાને ફરીથી મહાન બનાવો) નું પુનરાવર્તન પણ કર્યું, જે તેમની ‘અમેરિકા ફર્સ્ટ‘ નીતિનો ભાગ છે.
આ ર્નિણયની સંભવિત અસરો:
આર્થિક અસર: આ ૨૫% ટેરિફ ભારતીય નિકાસકારો માટે મોટો પડકાર ઉભો કરશે, કારણ કે તેમના ઉત્પાદનો અમેરિકન બજારમાં વધુ મોંઘા બનશે, જેનાથી તેમની સ્પર્ધાત્મકતા ઘટશે.
વેપાર સંબંધો: આ ર્નિણય ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં તણાવ વધારી શકે છે. ભારત પણ વળતા પગલાં તરીકે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદી શકે છે, જેનાથી વેપાર યુદ્ધ વધુ તીવ્ર બની શકે છે.
ભૌગોલિક-રાજકીય સંબંધો: રશિયા સાથેના ભારતના સંબંધોને લઈને ટ્રમ્પના નિવેદનો બંને દેશો વચ્ચેના ભૌગોલિક-રાજકીય સંબંધોમાં પણ નવા સમીકરણો લાવી શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી, ભારતીય અને અમેરિકન અધિકારીઓ આ વેપાર કરાર અંગે વાટાઘાટો કરી રહ્યા હતા, પરંતુ ક્યારેક તેઓ આશાવાદી અને ક્યારેક સતર્ક સ્થિતિમાં દેખાતા હતા. કરાર ક્યારે થશે અને શું થશે તે સ્પષ્ટ નહોતું.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, સંભવિત કરારમાં તેઓ ભારત પાસેથી શું અપેક્ષા રાખે છે, ત્યારે તેમણે કહ્યું કે, “ચાલો જોઈએ શું થાય છે. ભારત એક સારો મિત્ર રહ્યો છે, પરંતુ ભારતે અત્યાર સુધી લગભગ દરેક દેશ કરતાં વધુ ટેરિફ વસૂલ્યા છે.” તેમણે આગળ કહ્યું કે, “પરંતુ હવે હું જવાબદારીમાં છું, અને હવે આવું નહીં ચાલે “