Last Updated on by Sampurna Samachar
ભારતે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત નથી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખ પ્રભોવો સુબિયાંટો મુખ્ય અતિથિના રૂપે સામેલ થશે. આ મામલે પરિચિત લોકોએ આ જાણકારી આપી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુબિયાંટો પોતાની ભારત યાત્રા બાદ પાકિસ્તાન નહીં જાય. જોકે, તેઓએ પહેલાં પાકિસ્તાન જવાની યોજના બનાવી હતી. પરંતુ, જ્યારે ભારતે આ મુદ્દો ઉઠાવ્યો તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર પ્રમુખે પોતાની પાકિસ્તાનની યાત્રા ટાળી દીધી.
ભારતે હજુ સુધી આ વર્ષે પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિની સત્તાવાર જાહેરાત કરી નથી. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુબિયાંટો સાથે પોતાની યાત્રા દરમિયાન વ્યાપક વાતચીત કરશે. દર વર્ષે ભારત દુનિયાભરના નેતાઓને પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આમંત્રિત કરે છે. ગત વર્ષે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેનુએલ મેક્રોન મુખ્ય અતિથિ હતાં. વળી, ૨૦૨૩માં મિસ્ત્રના રાષ્ટ્ર પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સિસી સામેલ થયા હતાં. વળી, કોવિડ-૧૯ મહામારીના કારણે ૨૦૨૧ અને ૨૦૨૨માં પ્રજાસત્તાક દિવસે કોઈ મુખ્ય અતિથિ નહતાં. ૨૦૨૦માં બ્રાઝીલના રાષ્ટ્ર પ્રમુખ ઝાયર બોલ્સોનારો મુખ્ય અતિથિ હતાં.
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં અત્યાર સુધી ઘણાં પ્રમુખ આંતરરાષ્ટ્રીય નેતા ઉપસ્થિત રહી ચુક્યા છે. તેમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પ્રમુખ સિરિલ રામફોસા (૨૦૧૯), સંયુક્ત અરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન (૨૦૧૭) અને ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ફ્રાંકોઇસ ઓલાંદ (૨૦૧૬) સામેલ છે. આ સિવાય, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન જૉન મેજર (૧૯૯૩), દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પ્રમુખ નેલ્સન મંડેલા (૧૯૯૫) અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર પ્રમુખ લી મ્યંગ-બાક (૨૦૧૦) જેવા નેતા પણ ગણતંત્ર દિવસ સમારોહનો ભાગ બની ચુક્યા છે.