દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલના શીશમહેલમાં આગામી મુખ્યમંત્રી રહેશે ખરા ?

Share this Article:

Last Updated on by Sampurna Samachar

શીશ મહેલ એટલે દિલ્હીના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન

(સંપૂર્ણ સમાચાર સેવા)

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ૨૭ વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી છે. તે જ સમયે, આ ચૂંટણીમાં હેટ્રિક કરનાર અરવિંદ કેજરીવાલને હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી જીત્યા બાદ કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીના ચહેરાને લઈને ઘણી ચર્ચા થાય છે. ત્યારે દિલ્હીમાં CM ના ચહેરાની ચર્ચાની સાથે શીશમહેલને લઈને પણ ભારે ચર્ચા થઈ રહી છે. શીશ મહેલ એટલે દિલ્હીના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન છે.

આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને શીશમહેલને લઈને ભારે ઘેર્યા હતા. અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે અહીં રહેતા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેમણે મુખ્યમંત્રી આવાસના નવીનીકરણ પર કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. ત્યારથી ભાજપે મુખ્યમંત્રી આવાસનું નામ શીશમહેલ રાખ્યું હતું. હવે દિલ્હીમાં ભાજપની સત્તા આવી ગઈ છે, શું દિલ્હીના મુખ્યમંત્રી પણ આ શીશમહેલમાં રહેશે?

શીશમહેલને લઈને ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા કહે છે કે ભાજપના આગામી મુખ્યમંત્રી શીશમહેલ પર નહીં રહે. નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી અરવિંદ કેજરીવાલને હરાવનાર બીજેપી નેતા પ્રવેશ વર્માએ પણ કહ્યું છે કે કોઈએ શીશમહેલમાં રહેવું જોઈએ નહીં. આ અંગે તેમણે કહ્યું કે, શીશમહેલમાં દુબઈના શેખ જ રહી શકે છે, મુખ્યમંત્રી નહીં.

મુખ્યમંત્રી માટે આટલા મોટા મહેલની જરૂર નથી. હું પાર્ટીને કહીશ કે જે પણ મુખ્યમંત્રી બને તેણે શીશમહેલમાં રહેવું જોઈએ નહીં. તેને ટુરિસ્ટ સ્પોટ, ગેસ્ટ હાઉસ કે બીજું કંઈક બનાવવું જોઈએ. આ અંગે અત્યારે કંઈ કહી શકું તેમ નથી.

તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન એટલે કે શીશ મહેલ સિવિલ લાઈન્સના ૬ પ્લાગસ્ટાફ રોડ પર સ્થિત છે. મળતા રિપોર્ટ અનુસાર કેજરીવાલે આ બંગલાના રિનોવેશનમાં કુલ ૩૩ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ભાજપે વર્ષ ૨૦૨૩માં શીશ મહેલના પડદા, કાર્પેટ અને બાથરૂમના નળની કિંમત જણાવીને આપ પર નિશાન સાધ્યું હતું. આ માટે ભાજપે આપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કહ્યું કે દિલ્હી સરકારે જનતાના પૈસાનો દુરુપયોગ કર્યો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.