Last Updated on by Sampurna Samachar
૨૦૨૩ અને ૨૦૨૦ માં સમાપ્ત થઈ ગયા MOU
બ્રહ્મપુત્રા નદી પર કરાર રિન્યુ કરાયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની ૬ દાયકા જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, આ સાથે જ હવે બંને દેશો વચ્ચે નદીઓ સંબંધિત કોઇપણ ડેટા શેર કરવામાં નહિ આવે. એવામાં એક મીડિયા એજન્સી દ્વારા RTI દાખલ કરીને ભારત (BHARAT) અને ચીન વચ્ચે થયેલા હાઇડ્રોલોજિકલ પ્રોજેક્ટ અંગેનો ડેટા માંગવામાં આવ્યો છે.
જળ શક્તિ મંત્રાલયે RTI માં ખુલાસો કર્યો હતો કે ૨૦૨૨ થી ચીન તરફથી કરાર થયો હોવા છતાં કોઈ જ હાઇડ્રોલોજિકલ ડેટા કે હાઇડ્રો સ્ટ્રક્ચર શેર કરવામાં આવ્યો નથી, તેમજ બ્રહ્મપુત્ર અને સતલજ પરના MOU અનુક્રમે ૨૦૨૩ અને ૨૦૨૦ માં સમાપ્ત થઈ ગયા છે.
જળ શક્તિ મંત્રાલયે આપ્યો જવાબ
ભારતની જળ સુરક્ષા અને માળખાગત વિકાસ માટે, ખાસ કરીને બ્રહ્મપુત્રા અને સતલજ જેવી સરહદ પારની નદીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ નદીઓનો ડેટા ભારતના પૂરની આગાહી, ચેતવણી સિસ્ટમ, બંધ અને પુલ જેવી માળખાગત સુવિધાઓનું આયોજન અને સંચાલન માટે મહત્ત્વપૂર્ણ છે.
આ RTI માં સતલજ અને બ્રહ્મપુત્રા નદીઓ માટે હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરવા અંગે ભારત અને ચીન વચ્ચે થયેલા MOU અંગે પણ પૂછવામાં આવ્યું હતુ, જેના જવાબમાં જળ શક્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે, બ્રહ્મપુત્રા નદી પર કરાર મૂળ ૨૦૦૨ માં હસ્તાક્ષરિત થયો હતો અને ૨૦૦૮ માં સમાપ્ત થયો હતો. સતલજ નદી પર MOU ૨૦૦૫ માં હસ્તાક્ષરિત થયો હતો અને ૨૦૧૦ માં સમાપ્ત થયો હતો.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા નદી પર કરાર ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૧૮ માં રિન્યૂ કરવામાં આવ્યો હતો, જ્યારે સતલજ નદી પર MOU ૨૦૧૦ અને ૨૦૧૫ માં રિન્યૂ કરવામાં આવ્યો હતો. આ MOU ને રિન્યૂ ન કરવાના કારણો વિશે પૂછવામાં આવતા, મંત્રાલયે વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ સંદર્ભમાં માહિતી RTI કાયદા, ૨૦૦૫ ની કલમ ૧૦(૧) હેઠળ આપી શકાતી નથી.