આ વર્ષે ડેન્ગ્યુ અંગે સઘન સારવારના લીધે મળ્યું સકારાત્મક પરિણામ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૨૦૨૩ માં ૪.૭% પોઝિટિવિટી રેટની સામે ૨૦૨૪ માં ૩.૫%

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાજ્યમાં જનજાગૃતિ અને સઘન સારવારના પરિણામે આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યાં હતા. ૨૦૨૩ માં ૧,૪૯,૮૪૪ સીરમ સેમ્પલ ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવેલ હતા તે પૈકી ૭, ૦૮૮ ડેન્ગ્યુના પોઝિટિવ કેસો માલુમ પડ્યા હતા . એટલે કે સીરો પોઝિટીવિટી દર ૪.૭ %  રહ્યો હતો. જ્યારે ૨૦૨૪ દરમિયાન ૨,૨૧,૩૫૮ સેમ્પલ ડેન્ગ્યુના નિદાન માટે લેવામાં આવ્યા.  તે પૈકી ૭,૮૨૦ ડેન્ગ્યુના કેસો પોઝિટિવ માલૂમ પડ્યા. જે દર્શાવે છે કે વર્ષ ૨૦૨૪ માં ડેન્ગ્યુનો પોઝિટીવિટી દર ૩.૫% રહ્યો.

આ વર્ષે ડેન્ગ્યુના ત્વરિત નિદાન માટે ડેન્ગ્યુ NS ૧ પ્રકારની ૧૭૦૦ કીટ એટલે કે ૧,૬૩,૨૦૦ ટેસ્ટ રાજ્ય સરકાર દ્વારા ખરીદ કરી નિદાન કેન્દ્રોને પુરી પાડવામાં આવી. તદ્દ ઉપરાંત ભારત સરકાર તરફથી પ્રાપ્ત ૬૧૧ ડેન્ગ્યુ IGM કીટ (૫૮૬૫૬ ટેસ્ટ) નિદાન કેન્દ્રોને ફાળવવામાં આવી હતી.રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા વિસ્તારમાં અઠવાડીક પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે. હાઉસ ટુ હાઉસ ફીવર સર્વે, એન્ટીલાર્વલ એક્ટીવીટીઝ તથા પ્રચાર પ્રસારની કામગીરીના ૩ રાઉન્ડ એપ્રિલ, મે અને સપ્ટેમ્બર માસ દરમ્યાન ઝુંબેશ રૂપે હાથ ધરી રાજ્યની અનુક્રમે ૮૬%, ૮૯% અને ૯૨% વસ્તીને આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ચોમાસાની ઋતુ દરમ્યાન સંવેદનશીલ વિસ્તારોમાં ૨૪૬૦ માણસોની ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમે રોગ સર્વેક્ષણ અને પોરાનાશક સઘન કામગીરી હાથ ધરાઇ હતી. રાજ્યમાં ૪૭ થી ૫૧માં અઠવાડીયા દરમ્યાન  ડેન્ગ્યુ કેસમાં સતત ઘટાડો નોંધાયેલ છે તથા ૫૦ અને ૫૧ મા અઠવાડીયા દરમ્યાન વર્ષ ૨૦૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૪ માં ડેન્ગ્યુ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યના ૧૧૩૯ સ્પેશ્યાલીસ્ટને “ક્લીનીકલ મેનેજમેન્ટ ઓફ ડેન્ગ્યુ” અંગેની તાલીમ આપવામાં આવી છે. ડેન્ગ્યુ માટે રાજ્યમાં કયા પ્રકારનો વાયરસ સંક્રમિત છે, તે જાણવા માટે સીરમ સેમ્પલ તથા મોસ્કીટો બી. જે. મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે મોકલી સીરોટાઈપ નક્કી કરવામાં આવે છે. અને તેના પરિણામો પ્રમાણે રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીનું આયોજન અને અમલીકરણ કરવામાં આવેલ છે. રોગના નિયંત્રણ માટે જરૂરી તમામ લાર્વીસાઈડ, એડલ્ટીસાઈડ વગેરે પૂરતા પ્રમાણમાં સમયસર તમામ કક્ષાએ ઉપલબ્ધ કરાવેલ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.