ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલ ભેગા: બંગાળમાં વડાપ્રધાન મોદીની ૬ ગેરંટી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

બંગાળમાં દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ખોલાશે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતાબેનરજી પર આકરા પ્રહારો કર્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભાગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણેસંબોધનમાં બંગાળમાં ભાજપની જીત માટે પ્રજા પાસે આર્શિવાદ માંગ્યા છે.

સાથે તેમણે બંગાળની પ્રજાને ગેરેન્ટી પણ આપી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા દરેકદુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ફરી ખોલવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીદેવામાં આવશે. બંગાળની પ્રજાએ દરેક અડચણો પાર કરીને અને દરેક પડકારોને હરાવવાનું મન બનાવી લીધું છે. ચૂંટણીસામાન્ય નથી, પણ રાજ્યમાં બદલાવની એવી આંધી છે, જે ટીએમસી સરકારની વિદાય કરવા માટે પુરતી છે.

ભાજપ સરકાર આવશે તો ગેરેન્ટ્રી પુરી કરવામાં આવશે

વડાપ્રધાને એમ પણ કહ્યું કે, બંગાળની ચૂંટણી નાનીમોટી ચૂંટણી નથી, પરંતુ બંગાળનું ખોવાયેલું ગૌરવઅને તેની જૂની ઓળખ પરત લાવવાની લડાઈ છે.  આપણે ખરેખર બંગાળનો વિકાસ કરવાનું સ્વપ્ન પુરુકરવા માંગીએ છીએ તો સૌથી પહેલા ર્નિદર સરકારને સત્તામાંથી બહારનો રસ્તો બતાડવો પડશે. પીએમમોદીએ વધુમાં કહ્યું કે,

આજે આખે દેશ ઝડપી વિકાસ કરી રહ્યો છે, પરંતુ ટીએમસીની નીતિ બંગાળને પાછળધકેલી રહી છે. એક સમયે બંગાળ આખા દેશમાં વેપાર અને ઉદ્યોગોમાં મહત્ત્વનું યોગદાન આપતું હતું, પરંતુઆજના સમયમાં બંગાળને ઘણું પાછળ ધકેલી દેવાયું છે. એક સમયે દૂર દૂરથી લોકો હલ્દિયામાં કામ શોધવાઆવતા હતા અને આજે અવી સ્થિતિ ઉભી થઈ છે કે, હલ્દિયાના લોકોએ રોજગારી મેળવવા માટે બીજારાજ્યમાં ભાગવું પડી રહ્યું છે.’

પીએમ મોદીએ જનસભા સંબોધતી વખતે કટાક્ષ કરીને કહ્યું કે, ટીએમસીના રાજમાં રોજગારી આપતી ફેક્ટ્રીઓબંધ થઈ ઘઈ છે, જ્યારે ઘૂસણખોરોની ફેક્ટ્રીઓ ખૂબ આગળ વધી રહી છે. તેમણે લોકોને યાદ અપાવ્યું કે, સદીઓ પહેલા હલ્દિયા સમૃદ્ધ અને સુખી શહેર હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની ફેક્ટ્રીઓમાં તાળા લટકતા  મળી રહ્યા છે. ત્યારબાદ વડાપ્રધાને લોકોને ગેરેન્ટી સમજાવી વચન આપતા કહ્યું કેરાજ્યમાં ભાજપ સરકાર આવશે તો ગેરેન્ટ્રી પુરી કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીની ગેરેન્ટ્રી

.ગુંડાગીરી ખતમ, કાયદાનું રાજ : ટીએમસીએ બંગાળમાં ભય અને આતંક ફેલાવીને રાખ્યો છે, તેને ભાજપખતમ કરશે અને રાજ્યમાં કાયદા પર વિશ્વાસ સ્થાપીત કરશે.

. સરકારી સિસ્ટમની જવાબદારી : રાજ્યમાં એવી સરકારી સિસ્ટમ ઉભી કરાશે, જે પ્રજાની સેવા કરવા માટેજવાબદાર રહેશે અને પ્રજાના કામ કોઈપણ અડચણ વગર પુરા થશે.

. તમામ ફાઈલો ખોલાશે : ટીએમસીના રાજમાં થયેલા કૌભાંડ, ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથે થયેલ અન્યાય(રેપ કેસ)ની જૂની ફાઈલો ફરી ખોલવામાં આવશે.

. ભ્રષ્ટાચારીને જેલમાં ધકેલાશે : પ્રજાના પૈસા લૂંટનારાઓને કોઈપણ કિંમતો છોડાશે નહીં. મોદી ભ્રષ્ટાચારસાખી નહીં લે અને એકએક ભ્રષ્ટાચારીને જેલમાં ધકેલવામાં આવશે.

. ઘૂસણખોરોની વિદાય : ભારતની જમીન પર ગેરકાયદે ઘૂસણખોરી કરવાની ક્યારે મંજૂરી અપાશે નહીં, આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.

. સરકારી કર્મચારીઓને ભેટ : મોદી અને ભાજપ તમામ સરકારી કર્મચારીઓ પાસે ઉભા છે. બંગાળમાંભાજપની સત્તા આવતાં સાતમો પગાર પંચ લાગુ કરાશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.