PM  મોદીના ઇઝરાયલ પ્રવાસ પર કોંગ્રેસની આકરી ટીકા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વાંધો ઉઠાવ્યો

કોંગી તમામ નેતાઓએ કર્યો કટાક્ષ

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ઈઝરાયલ પ્રવાસથી દેશનું રાજકારણ ગરમાયું હોવાનુ સામે આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ આ પ્રવાસની આકરી ટીકા કરતાં તેને નૈતિક કાયરતા ગણાવી છે. ત્યારે આ વચ્ચે હવે AIMIM ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની એક પોસ્ટમાં ઓવૈસીએ આ પગલાને પેલેસ્ટાઈન પ્રત્યે ભારતના ઐતિહાસિક સમર્થન સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. ઓવૈસીએ એવો પણ દાવો કર્યો છે કે, PM  મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે.

ભારતે હંમેશા પેલેસ્ટિનિયન લોકો અને અધિકારોનું સમર્થન કર્યું

ઓવૈસીએ પોતાની પોસ્ટની શરૂઆતમાં જ ગાઝાની સ્થિતિને નરસંહાર ગણાવી દીધી છે. તેમણે લખ્યું કે, ગાઝામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે હંમેશા ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે. AIMIM પ્રમુખે ઈઝરાયલના વડા પ્રધાન તરફ ઈશારો કરતા તેમને યુદ્ધ અપરાધી કહ્યા, જેમની સામે ધરપકડ વોરંટ જારી છે. તેમણે પીએમ મોદીની ટીકા કરતા કહ્યું કે, આવા સમયમાં ઈઝરાયલનો પ્રવાસ કરવો અને એક યુદ્ધ અપરાધીને ગળે લગાવવા એ ભારતની સ્થાપિત વિદેશ નીતિની વિરુદ્ધ છે.

ઓવૈસીએ કહ્યું કે, ભારતે હંમેશા પેલેસ્ટિનિયન લોકો અને તેમના અધિકારોનું સમર્થન કર્યું છે. તેમના મતે વર્તમાન વડા પ્રધાનનો આ પ્રવાસ ભારતના લાંબા સમયથી ચાલતા સૈદ્ધાંતિક સમર્થન સાથે સીધો વિશ્વાસઘાત છે. ઓવૈસીએ મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ વધવાની પણ આશંકા વ્યક્ત કરી હતી.

તેમણે આશંકા વ્યક્ત કરી કે, PM મોદીનો આ પ્રવાસ પૂર્ણ થતાં જ અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે. તેમણે પોતાની પોસ્ટનો અંત ઝાયોનિઝમ મુર્દાબાદના નારા સાથે કર્યો છે, જે ઈઝરાયલની રાજકીય વિચારધારા ઝાયોનિઝમ પ્રત્યે તેમના આકરા વિરોધને દર્શાવે છે.

કોંગ્રેસે વડા પ્રધાન મોદીના ઈઝરાયલ પ્રવાસ પહેલા આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આખી દુનિયા ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટીકા કરી રહી છે, ત્યારે વડા પ્રધાન મોદી ત્યાં “નૈતિક કાયરતા”નો પરિચય આપવા જઈ રહ્યા છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પર પોસ્ટ કરી હતી કે, ૨૦ મે, ૧૯૬૦ના રોજ જવાહરલાલ નેહરુ ગાઝામાં હતા અને ત્યાં સંયુક્ત રાષ્ટ્રના ઈમરજન્સી ફોર્સની ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. ૨૯ નવેમ્બર, ૧૯૮૧ના રોજ ભારતે પેલેસ્ટાઇન સાથે એકતા વ્યક્ત કરતા એક સ્મારક ટપાલ ટિકિટ જારી કરી હતી. ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ ભારતે પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક રીતે માન્યતા આપી હતી.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, મને આશા છે કે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આગામી ઈઝરાયલ પ્રવાસ દરમિયાન નેસેટને સંબોધિત કરશે અને ગાઝામાં હજારો નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના નરસંહારનો ઉલ્લેખ કરશે અને તેમના માટે ન્યાયની માગ કરશે. એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત પોતાના સમગ્ર ઈતિહાસમાં જે સાચું છે તેના માટે ઊભું રહ્યું છે. આપણે દુનિયાને સત્ય, શાંતિ અને ન્યાયનો પ્રકાશ બતાવતા રહેવું જાેઈએ.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.