કોંગ્રેસ રંગ બદલવામાં હોશિયાર છે તેમ વડાપ્રધાને કોંગ્રેસ પર  કર્યા આકરા પ્રહારો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોંગ્રેસ માટે ફેમિલી ફર્સ્ટ સર્વોપરી , જ્યારે અમારા માટે નેશન ફર્સ્ટ છે : PM

(સંપૂર્ણ સમાચાર સેવા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં વિપક્ષના પ્રત્યેક સવાલો અને વિરોધનો જવાબ આપતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જોવા મળ્યા હતા. કોંગ્રેસે બંધારણના ઘડવૈયાઓની ભાવનાઓનો અનાદર કર્યો હતો. જ્યારે દેશમાં સરકાર  ન હતી, ત્યારે તેમણે બંધારણમાં સંશોધનો કર્યા. નવી સરકારની રાહ પણ ન જોઈ હતી.ફ્રીડમ ઓફ સ્પીચને કચડી નાખી, અખબારો પર લગામ મૂકી અને ડેમોક્રેટનો ટેગ લગાવી વિશ્વભરમાં ફર્યા.

જ્યારે નહેરૂજી વડાપ્રધાન હતાં, ત્યારે મુંબઈમાં મજૂરોની એક હડતાલ થઈ. જેના સંદર્ભમાં સુલ્તાનપુરીએ એક કવિતા ગાઈ તો તેમને નહેરૂજીએ જેલ મોકલી દીધા. બલરાજ સાહની એક દેખાવોમાં જોડાયા તો તેમને પણ જેલમાં પૂર્યા. લતા મંગેશકરના ભાઈ ર્હદયનાથ મંગેશકરે વીર સાવરકર પર એક કવિતા આકાશવાણીમાં પ્રસારિત કરવાની યોજના બનાવી તો તેમને આકાશવાણીમાંથી જ હાંકી કઢાયા. દેશમાં ઈમરજન્સી દરમિયાન દેવાનંદે તેમને સમર્થન ન આપ્યું તો તેમની ફિલ્મો પર પ્રતિબંધ લાદી દીધો.

૨૦૧૪માં અમે સ્કિલ ડેવલપમેન્ટ, ઈન્ક્‌લુઝન, અને ફાઈનાન્સિયલ ગ્રોથ પર ફોકસ કરતાં આર્થિક વિકાસલક્ષી કાર્યો કર્યા. અમે પીએમ વિશ્વકર્મા યોજના લાગુ કરી કુંભાર, લુહાર, સોનીને તાલીમ આપી, નવા ઓજારો આપ્યા, અને આર્થિક સહાય પણ ઉપલબ્ધ કરાવી. અમે એસસી-એસટી સમાજના લોકોના ઉત્થાન માટે સ્ટેન્ડઅપ યોજના ઘડી, મહિલાઓ માટે રૂ. ૧ કરોડની લોન ઉપલબ્ધ કરાવી. અમે બાબા સાહેબાના સપનાઓને પૂર્ણ કરવા કામ કર્યું. હાલમાં જ રજૂ થયેલા બજેટમાં અમે રમકડાં, લેધર, ફૂટવેર ઉદ્યોગ માટે લાભો જાહેર કર્યાં.

વડાપ્રધાને બાબા સાહેબના વિચારોની હંમેશા અવગણના કરી છે. બાબા સાહેબે દલિત, આદિવાસીઓની સાથે અન્યાયના ઉપાયો જણાવ્યા હતાં. તેમણે ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવાની માગ કરી હતી. કોંગ્રેસ પાસે આટલા વર્ષો સુધી સત્તા રહી ત્યારે તેમણે બાબા સાહેબના વિચારો પર ધ્યાન ન આપ્યું. તેમના વિચારોને ફગાવી દીધા. એસસી-એસટીના ઉત્થાનના બદલે તેમના માટે સંકટ ઉભું કર્યું. અને આજે બાબા સાહેબના નામ-વિચારો પર રાજકારણ રમી રહી છે.

વડાપ્રધાન મોદીએ બાબા સાહેબ આંબેડકર પર રાજનીતિ રમતી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કે, આ એ જ કોંગ્રેસ છે જેણે બાબા સાહેબને બે-બે વખત ચૂંટણીમાં હરાવવા માટે પોતાની હદ વટાવી હતી. તેમના પ્રત્યે તેમને નફરત, ગુસ્સો હતો તેનું તે પ્રમાણ છે. આ દેશના લોકો બાબા સાહેબાની ભાવનાનું આદર કર્યું, સર્વે સમાજે તેમને બિરદાવ્યા. જેથી કોંગ્રેસ આજે મજબૂરીમાં જય ભીમ બોલે છે.

કોંગ્રેસ રંગ બદલવામાં હોશિયાર છે. તે ઝડપથી પોતાનુ મંતવ્ય બદલી નાખે છે. જો તમે કોંગ્રેસનો અભ્યાસ કરશો તો તેની રાજનીતિની મૂળ મંત્ર બીજાની લાઈન (રેખા-લકીર) નાની કરવાનો છે. જેના લીધે તેમણે સરકારને અસ્થિર જ રાખી. તેમની નીતિઓના કારણે આજે કોંગ્રેસની દુર્દશા વધી છે. દેશની સૌથી જૂનો પાર્ટી બીજાની લાઈન ભૂંસવાના બદલે પોતાની લાઈન મોટી કરવા પાછળ મહેનત કરે તો તેના આ હાલ થયા ન હોત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ OBC આયોગને બંધારણીય દરજ્જો આપવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમારી સરકારે એક એવુ મોડલ આપ્યું કે, જેનાથી સામાન્ય વર્ગના દરેક ગરીબને ૧૦ ટકા અનામત મળે. કોઈપણ તણાવ વિના, અધિકાર લીધા વિના, આ મોડલ લાવ્યા. જેનો ઓબીસી, એસસી-એસટી તમામે સ્વીકાર કર્યો. દિવ્યાંગો માટે પણ અનામતમાં વિસ્તરણ કર્યું. તેમના વિકાસ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.

ટ્રાન્સેજન્ડર સમુદાયોના અધિકારો માટે પણ પ્રયાસ કર્યાં. સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે અમે કામ કરીએ છીએ. અમે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને ઉગારવા યોજનાઓ ઘડી. નારી શક્તિને મહત્ત્વ આપ્યું. આ નવુ સંસદ રંગ-રૂપ માટે નહીં. પણ નારી શક્તિને વંદન કરે છે. અમે નારી શક્તિ વંદન અધિનિયમ લાવવા બદલ વાહવાહી લૂંટી શકતા હતાં, પણ અમે માતૃશક્તિની વાહવાહી માટે તેનો ઉપયોગ કર્યો.

કોંગ્રેસની નજર માત્ર વોટ પર રહેતી હતી. પરંતુ અમે હંમેશા પ્રયાસ કરીએ છીએ કે, ભારતના જે સંસાધનો છે, તેનો મહત્તમ ઉપયોગ કરીએ. જે સમય છે, તેને વેડફ્યા વિના જન કલ્યાણ માટે, દેશના વિકાસ પાછળ તેનો ઉપયોગ કરીએ. આથી અમે એવી યોજનાઓ બનાવી કે, જેનો ૧૦૦ ટકા લાભ જનતાને થાય. અને અમે તેમાં રહેલી ખામીઓ શોધી તેમાં સુધારાઓ કરતાં રહ્યા છીએ.

વડાપ્રધાને આગળ વાત કરતાં કહ્યું કે, ‘લાંબા સમય સુધી દેશને ત્રાજવા પર તોલવાની તક મળી નથી. ૨૦૧૪માં અમે અલ્ટનેટ મોડલ લઈ આવ્યા. જનતાએ તેને મંજૂરી પણ આપી. અમે તૃષ્ટીકરણ નહીં, પણ સંતુષ્ટિકરણનું મોડલ આપ્યું છે. કોંગ્રેસનું હંમેશાથી મોડલ રહ્યું છે કે, ચૂંટણી દરમિયાન નાના વર્ગના લોકોના ફાળે કંઈક આપે અને બાકીના લોકો જોતાં રહે. ઝૂનઝૂના આપવાની ટેવ અને લોકોની આંખો પર પાટા બાંધીને રાજ કરવાની ટેવ કોંગ્રેસની રહી છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે કહ્યું કે, રાષ્ટ્રપતિ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. દેશના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિનું અભિભાષણ પ્રેરણાદાયી, પ્રભાવી અને માર્ગદર્શન આપનારું રહ્યું હતું. સબકા સાથ સબકા વિકાસ અહીં ઘણું બધુ કહી જાય છે. તે તમામનું દાયિત્વ છે. જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, તેની પાસેથી અપેક્ષા કરવી ખોટી છે. તેમની વિચારસરણી સમજણની બહાર છે. જે તેમના રોડમેપમાં પણ શોભી રહી નથી.  આટલો મોટો પક્ષ માત્ર એક પરિવારને જ સમર્પિત થયો છે. કોંગ્રેસ માટે ફેમિલી ફર્સ્ટ સર્વોપરી છે. જ્યારે અમારા માટે નેશન ફર્સ્ટ છે. અમારુ વિકાસનું મોડલ એક જ શબ્દમાં કહુ તો તે નેશન ફર્સ્ટ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.