Last Updated on by Sampurna Samachar
૫૦ કરોડ ભક્તોએ મહાકુંભમાં લગાવી ડૂબકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ ૨૦૨૫ અંગે UP ના CM યોગી આદિત્યનાથે કહ્યું, ‘આ નવું ઉત્તર પ્રદેશ છે.’ પ્રયાગરાજમાં ૨૫ કરોડની વસ્તી છે અને ગઈકાલ સુધીમાં ૫૦ કરોડ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ સમાજવાદી રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું.
બાગપતમાં, CM યોગી આદિત્યનાથે કહ્યું, ‘માઘી પૂર્ણિમાના અવસર પર કરોડો લોકો પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે.’ આ નવું ઉત્તર પ્રદેશ છે, જેની વસ્તી ૨૫ કરોડ છે અને ગઈકાલ સુધીમાં, પ્રયાગરાજમાં ૫૦ કરોડ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. પરંતુ કેટલાક લોકોને આ કામ ગુપ્ત રીતે કરવાની આદત હોય છે. તેમણે કોરોના વાયરસની રસી લીધી પણ દુનિયાને રસી ન લેવાનું કહેતા રહ્યા. તેમણે ગુપ્ત રીતે સંગમમાં ડૂબકી લગાવી અને પાછા આવ્યા પણ જનતાને ડૂબકી ન લગાવવાનું કહી રહ્યા છે.
માઘી પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. સંગમ કિનારાની બંને બાજુ ફક્ત ભક્તો જ દેખાય છે. માઘ પૂર્ણિમાના દિવસે લોકોનો ઉત્સાહ એટલો હતો કે ૧ કરોડ લોકોએ વહેલી સવારે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ આંકડો હવે ૧.૮૩ કરોડને વટાવી ગયો છે.
માઘી પૂર્ણિમાના દિવસે, નાગા સાધુઓના અખાડાઓએ સૌથી પહેલા સ્નાન કર્યું. આ પછી, અખાડાઓએ અને પછી સંતોએ ડૂબકી લગાવી. આ પ્રક્રિયા પછી જ સામાન્ય ભક્તોએ સ્નાન કરવાનું શરૂ કર્યું. જ્યાં સંગમ કિનારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ૪૬.૨૫ કરોડથી વધુ ભક્તો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે