Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, દેશમાં નહિ લાગે લોકડાઉન
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ દેશને ઉર્જા સુરક્ષા અને આવશ્યક પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાં અને લોકડાઉનની અફવાઓ અંગે એક પોસ્ટ શેરકરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક પરિસ્થિતિ અનિશ્ચિત છે અને અમે ઉર્જા, સપ્લાય ચેઇન અને આવશ્યકચીજવસ્તુઓ સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
સામાન્ય માણસ આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાથી સુરક્ષિત રહે
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં, સરકાર દેશમાં ઇંધણ, ઊર્જા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ કોઈપણસંભવિત પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, ભારતે વૈશ્વિક અનિશ્ચિતતા સામે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે, અને સમયસર, સક્રિય અને સંકલિત પગલાં લેવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન વિશે ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકારી સ્તરે આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી,” .
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા સમયમાં, આપણા બધા માટે શાંત, જવાબદાર અને એકતાભર્યું રહેવુંખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં અફવાઓ ફેલાવવી અને બિનજરૂરી ભય પેદા કરવો એબેજવાબદારીભર્યુ અને નુકસાનકારક છે.
ગત એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા, જે લગભગ $૭૦ પ્રતિબેરલથી વધીને $૧૨૨ પ્રતિ બેરલ થયા છે. પરિણામે, વિશ્વભરના ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાંવધારો થયો છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ એશિયામાં ભાવમાં આશરે ૩૦% થી૫૦%, ઉત્તર અમેરિકામાં ૩૦%, યુરોપમાં ૨૦% અને આફ્રિકામાં ૫૦%નો વધારો થયો છે.
હરદીપ પુરીએ કહ્યું કે મોદી સરકાર પાસે બે વિકલ્પો હતા: કાં તો નાગરિકો માટે ભાવમાં નોંધપાત્ર વધારોકરવો, જેમ કે અન્ય તમામ દેશોએ કર્યો છે, અથવા પોતાના નાણાં પર બોજ ઉઠાવવો, જેથી સામાન્ય માણસ આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાથી સુરક્ષિત રહે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વડા પ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. ભારતસરકાર પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રિત કરી છે અને ખાતરી કરી રહ્યા છે કે સામાન્ય લોકોને કોઈઅસુવિધાનો સામનો ન કરવો પડે. ટોચના સ્તરથી લઈને નીચેના સ્તર સુધી, વડા પ્રધાન પોતે વ્યક્તિગત રીતેપરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.