Last Updated on by Sampurna Samachar
મારા આ ર્નિણયની મારા જ સમાજે ઘણી ટીકા કરી
સુપ્રીમ કોર્ટના ત્રણ અન્ય ન્યાયાધીશોનું સમર્થન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ભૂષણ બી. આર ગવઈએ ગોવા હાઇકોર્ટ બાર એસોસિએશનમાં પોતાના ભાષણમાં કહ્યું કે, કાર્યપાલિકાને જજની ભૂમિકા ભજવવાની મંજૂરી આપવું બંધારણમાં સમાવિષ્ટ સેપરેશન ઑફ પાવરના સિદ્ધાંતને નબળી પાડે છે.

બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ર્નિણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, મને ગર્વ છે કે અમે કારોબારી તંત્રને ન્યાયાધીશ બનતા અટકાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. બંધારણ કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભા વચ્ચે સત્તાના વિભાજનને માન્યતા આપે છે. જો કારોબારી તંત્રને આ સત્તા આપવામાં આવે છે, તો તે બંધારણીય માળખાને ઊંડી નુકસાન પહોંચાડશે.
કાયદો અને પોતાની અંતરાત્મા અનુસાર હોવો જોઈએ
ક્રીમી લેયર અને અનુસૂચિત જાતિમાં ઉપ-વર્ગીકરણ પર પોતાના વિવાદાસ્પદ ર્નિણયનો ઉલ્લેખ કરતા એ કહ્યું કે, મારા આ ર્નિણયની મારા જ સમાજે ઘણી ટીકા કરી છે, પરંતુ હું હંમેશા માનુ છું કે, ર્નિણય જનતાની ઈચ્છા અથવા દબાણના આધારે નહીં. પરંતુ કાયદો અને પોતાની અંતરાત્મા અનુસાર હોવો જોઈએ.
મારા અમુક સહયોગીઓએ પણ આ ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ મારો તર્ક સ્પષ્ટ હતો. મેં જોયું છે કે, અનામત વર્ગની પહેલી પેઢી IAS બને છે, પછી બીજી અને ત્રીજી પેઢી પણ એ અનામતનો લાભ લે છે. શું મુંબઈ અથવા દિલ્હીની સવર્શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરનાર, તમામ સુવિધા ભોગવનાર બાળક જિલ્લા કે ગામડાની શાળામાં અભ્યાસ કરતા મજૂર બાળકની બરાબર કેવી રીતે હોય શકે?
બંધારણનો અનુચ્છેદ ૧૪ તમામ માટે એકસમાન વ્યવહાર નથી. બંધારણ અસમાનતા સમાન બનાવવા માટે અસમાન વ્યવહારની વકાલત કરે છે. એક ચીફ જસ્ટિસનો બાળક, જે સવર્શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરે અને એક સામાન્ય શ્રમિકનો બાળક જે મર્યાદિત સંસાધનોમાં અભ્યાસ કરે છે, તેમની તુલના કરવી એ બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે.
આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, મારા આ વિચારને સુપ્રીમ કોર્ટના ત્રણ અન્ય ન્યાયાધીશોનું સમર્થન મળ્યું. જોકે, ટીકાઓનું હંમેશા સ્વાગત છે. ન્યાયાધીશ પણ માણસ છે અને ભૂલ કરી શકે છે. હાઇકોર્ટમાં મારા બે જજમેન્ટને પેર ઇનક્યુરિયમ (યોગ્ય વિચાર કર્યા વિના આપવામાં આવેલો) ચુકાદો માનવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં પણ એકવાર આવું થયું હતું.
બંને કોર્ટની તુલના કરતા કહ્યું કે, હાઇકોર્ટ જજ કોઈપણ પ્રકારે સુપ્રીમ કોર્ટથી ઓછા નથી. વહીવટી તંત્રના રૂપે દેશની હાઇકોર્ટ સ્વતંત્ર છે. આ બી. આર ગવઈએ ઝુડપી જંગલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ૮૬ હજાર હેક્ટર ભૂમિને જંગલ માન્યું હતું. પરંતુ, ત્યાં દાયકાઓતી રહેતા લોકો અને ખેડૂતોને તગેડી મૂકવાનો ર્નિણય લેવાયો હતો. મને ખુશી છે કે, અમે એવા લોકોને રાહત આપી, જે પોતાની આજીવિકા અને આશ્રય ગુમાવવાના ડરમાં જીવી રહ્યા હતા. આ સામાજિક અને આર્થિક ન્યાયની દિશામાં એક પગલું છે.