પૂરથી નુકસાન ભોગવી રહેલા ખેડૂતો માટે મુખ્યમંત્રી માનની જાહેરાત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કેબિનેટની બેઠકમાં ખેડૂત રાહત પેકેજને મંજૂરી

મુખ્યમંત્રી માન છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ

(સંપૂર્ણ સમાચાર સેવા)

પૂરથી બરબાદ થયેલા પાકનું દર્દ વેઠી રહેલા પંજાબના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભગવંત માને મોટી જાહેરાત કરી છે. પંજાબ કેબિનેટે ર્નિણય લીધો છે કે રાજ્યના ખેડૂતોને હવે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી વળતર આપવામાં આવશે. આ વળતરની રકમ દેશભરના ખેડૂતોને મળતી સૌથી વધારે મદદ માનવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી માન છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે, પણ અહીંથી તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેબિનેટની બેઠકમાં ભાગ લીધો અને ખેડૂતોના રાહત પેકેજને મંજૂરી આપી. તેમણે કહ્યું કે, પંજાબ સરકાર દરેક સંજોગોમાં ખેડૂતો સાથે ઊભી છે.

આ ર્નિણયથી ખેડૂતોને ડબલ ફાયદો થશે

બેઠકમાં વધુ એક મહત્ત્વના ર્નિણયને મંજૂરી આપી છે. જે અંતર્ગત જેની ખેતર, તેની રેતી યોજનાને લીલીઝંડી આપી છે. હવે જે ખેતરમાં પૂર દરમિયાન રેતી જમા થઈ છે, ત્યાંનો માલિકીનો હક ખેડૂતોને જ મળશે. એટલે કે ખેડૂતો તે રેતીને વેચીને આવક મેળવી શકશે

.

સરકારનો દાવો છે કે આ ર્નિણયથી ખેડૂતોને ડબલ ફાયદો થશે. એક તરફ ખેતર સાફ થશે અને બીજી તરફ તેમને આર્થિક મદદ મળશે. મુખ્યમંત્રી માને કેબિનેટ બેઠક બાદ વિસ્તારથી રાહત પેકેજની જાણકારી આપી. તેમણે કહ્યું કે, પૂરથી થયેલી તબાહીને જોતા પંજાબ સરકારે ખેડૂતો, ઢોર અને સામાન્ય લોકો માટે કેટલાય પગલાં ઉઠાવ્યા છે.

– ખેતરમાંથી માટી-રેતી ઉપાડવાની મંજૂરી- પૂરમાં આવેલી રેતને ખેડૂતો વેચી શકશે

– ૨૦ હજાર રૂપિયા પ્રતિ એકર વળતર- પાકના નુકસાનનું વળતર સીધા ચેક દ્વારા આપવામાં આવશે

– ૪ લાખ રૂપિયાનું વળતર-પૂરમાં જીવ ગુમાવનારા પરિવારને મળશે

– ઘર પડવાનો સર્વે- જેમના ઘર તૂટ્યા છે, તેમને આર્થિક મદદ આપવામાં આવશે

– દેવા પર રાહત- સરકારી સોસાયટી અને સરકારી બેન્કોમાંથી લીધેલી લોન પર ૬ મહિના સુધી હપ્તા ચૂકવવાના નથી. વ્યાજ પણ માફ.

– ઢોર માટે વળતર- જેમના ઢોર પૂરમાં મરી ગયા છે, તેમને મદદ આપવામાં આવશે

– રસીકરણ અભિયાન- ઢોરમાં બીમારી ન ફેલાય, તેના માટે સરકાર રસીકરણ કરાવશે

– ફોગિંગ અને મેડિકલ કેમ્પ- શહેરો અને ગામડામાં સફાઈ, ફોગિંગ મશીનો અને લોકો માટે નજીકમાં સ્વાસ્થ્ય કેમ્પ લગાવવામાં આવશે.

– શાળા અને સરકારી ઈમારતોનો સર્વે- પૂરમાં નુકસાન થયેલી ઈમારતોને રિપેર કરશે

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.