બંધારણીય બેન્ચમાં કેન્દ્ર સરકારની દલીલ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

રાજ્ય સીધું સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે

ભવિષ્યમાં આવો મામલો ફરી ઉઠી શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકારોએ ર્નિણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી ન કરી શકે જે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર લીધો હોય, ભલે રાજ્ય એમ કહે કે તેનાથી લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ વાત કહી. બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ એએસ ચંદુરકર પણ સામેલ હતા.

કોઈ પણ બિલને છ મહિના સુધી પેન્ડિંગ રાખવું યોગ્ય નથી

મહેતાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ એ બાબત પર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવા માંગે છે કે શું રાજ્ય સરકારો બંધારણની કલમ ૩૨ હેઠળ આવી અરજીઓ દાખલ કરી શકે છે? તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ એ પણ જાણવા માંગે છે કે, બંધારણની કલમ ૩૬૧નો દાયરો શું છે. આ આર્ટિકલ કહે છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પોતાની સત્તાઓ અને ફરજોના નિર્વાહ માટે કોઈપણ કોર્ટ પ્રત્યે જવાબદાર રહેશે નહીં.

મહેતાએ બંધારણીય બેંચને જણાવ્યું કે, આ સવાલો પર અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે. પરંતુ રાષ્ટ્રપતિનો મત છે કે કોર્ટનો સ્પષ્ટ અભિપ્રાય જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં આવો મામલો ફરી ઉઠી શકે છે. તેમણે કહ્યું કે, કલમ ૩૨ હેઠળ રાજ્ય સરકાર વતી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના ર્નિણયોને પડકારતી અરજી સ્વીકારી શકાતી નથી. આવા કેસોમાં કોર્ટ નઈ તો નિર્દેશ આપી શકે છે અને ન તો આ ર્નિણયોને કોર્ટમાં પડકારી શકાય છે.

તેમણે આગળ કહ્યું કે, કલમ ૩૨ નો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. પરંતુ બંધારણીય માળખામાં રાજ્ય સરકાર પોતે મૂળભૂત અધિકારો ધરાવતી નથી. રાજ્ય સરકારની ભૂમિકા પોતાના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે. સોલિસિટર જનરલે ૮ એપ્રિલના એ ર્નિણયનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો રાજ્યપાલ સમય મર્યાદામાં બિલો પર ર્નિણય નહીં લે, તો રાજ્ય સીધું સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.

આના પર સીજેઆઈ ગવઈએ કહ્યું કે, હું ૮ એપ્રિલના બે જજોના ર્નિણય પર કોઈ ટિપ્પણી નહીં કરીશ, પરંતુ એમ પણ કહ્યું કે રાજ્યપાલ દ્વારા કોઈ પણ બિલને છ મહિના સુધી પેન્ડિંગ રાખવું યોગ્ય નથી. મહેતાએ જવાબમાં કહ્યું કે જો કોઈ બંધારણીય સંસ્થા પોતાની ફરજોનું પાલન નથી કરતી, તો તેનો અર્થ એ નથી કે કોર્ટ બીજી બંધારણીય સંસ્થાને આદેશ આપી દે.

તેના પર CJI એ કહ્યું કે, હા અમે સમજીએ છીએ કે તમે શું કહી રહ્યા છો. પરંતુ જાે આ કોર્ટ પોતે જ ૧૦ વર્ષ સુધી કોઈ કેસનો ઉકેલ ન લાવે, તો શું રાષ્ટ્રપતિને કોઈ આદેશ આપવાનો અધિકાર રહેશે? સુનાવણી હજુ પણ ચાલુ છે.

૨૬ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, જો રાજ્યપાલ કોઈ બિલ પર અનિશ્ચિત સમય સુધી ર્નિણય ન લે, તો શું કોર્ટ પાસે કોઈ ઉપાય નહીં રહેશે? શું બજેટ જેવા મહત્વપૂર્ણ બિલ પણ રાજ્યપાલની સ્વતંત્ર સત્તાને કારણે અટકી શકે છે? સુપ્રીમ કોર્ટે આ સવાલ ત્યારે ઉઠાવ્યો જ્યારે કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ કહ્યું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને બિલ પર ર્નિણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. આ રાજ્યોએ એમ પણ કહ્યું હતું કે કોર્ટ દરેક સમસ્યાનો ઉકેલ ન હોઈ શકે.

સુપ્રીમ કોર્ટ હાલમાં રાષ્ટ્રપતિ તરફથી એક બંધારણીય સંદર્ભ પર સુનાવણી કરી રહી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે, શું કોર્ટ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને એ નિર્દેશ આપી શકે કે, તેઓ ધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર નિશ્ચિત સમયમર્યાદામાં ર્નિણય લઈ લે? મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કલમ ૧૪૩ (૧) હેઠળ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો હતો કે, શું કોર્ટ રાષ્ટ્રપતિને  નિર્દેશ આપી શકે કે, કે રાજ્ય વિધાનસભાથી આવેલા બિલો પર ક્યારે અને કેવી રીતે ર્નિણય લે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.