Last Updated on by Sampurna Samachar
૨૬ નવેમ્બરથી શરૂ કરી હતી ભૂખ હડતાળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કિસાન નેતા જગજીત સિંહ દલેવાલ ૫૦ દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર છે. જ્યાં તેમના સમર્થનમાં ખાનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠેલા ૧૨૧ ખેડૂતોએ તેમની અનિશ્ચિત હડતાળ પાછી ખેંચી લીધી હતી. હકીકતમાં જગજીત સિંહ દલેવાલ તબીબી સહાયતા માટે સંમત થયા બાદ ખેડૂતોએ તેમનો ઉપવાસ તોડ્યા છે. તેમણે ૨૬ નવેમ્બરથી ભૂખ હડતાળ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ તબીબી સહાય લેવાનો ઇનકાર કરી રહ્યા હતા.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગણીઓેને લઈને ૧૪ ફેબ્રુઆરીના રોજ વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. એ પછી દલેવાલ તબીબી સહાય લેવા સંમત થયા હતા. દલેવાલની બગડતી તબિયત અને સરકાર દ્વારા તેમની માંગણીઓ ન સ્વીકારવાના કારણે ૧૫ જાન્યુઆરીએ ૧૧૧ ખેડૂતોના ગ્રુપે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ૧૭ જાન્યુઆરીએ બીજા વધુ ૧૦ ખેડૂતોએ વિરોધમાં જોડાયા હતા, જેઓ હરિયાણાનો રહેવાસી હતા.
આ ૧૨૧ ખેડૂતોએ ડેપ્યુટી પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ મનદીપ સિંહ સિદ્ધુ અને પટિયાલાના સિનિયર પોલીસ સુપ્રિન્ટેન્ડેડ નાનાક નાનક સિંહની હાજરીમાં જ્યુસ પીને પોતાનો ઉપવાસ તોડ્યો હતો. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રિય રંજનના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટીમે ખેડૂત નેતા દલેવાલ અને સંયુક્ત કિસાન મોરચા તેમજ કિસાન મજૂર મોરચાના પ્રતિનિધિઓને મળ્યા. તેમને ચંદીગઢમાં ફરી વાટાઘાટો શરૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રસ્તાવિત બેઠકની જાહેરાત થયા બાદ દલેવાલ તબીબી મદદ લેવા સંમત થયા હતા. તેમને હાલમાં ઇન્ટ્રાવેનસ ડ્રિપ આપવામાં આવી રહ્યું છે. જોકે તેમણે એમ પણ કહ્યુ કે, ‘જ્યાં સુધી અમને પાક પર MCP ની કાનૂની ગેરંટી ન મળે ત્યાં સુધી અમે અમારા ઉપવાસ સમાપ્ત નહીં કરીએ.’
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે લગભગ એક વર્ષથી મડાગાંઠ ચાલી રહી હતી. ખેડૂતો પંજાબ અને હરિયાણાની શંભુ અને ખાનૌરી બોર્ડર પર એકઠા થયેલા છે. ખેડૂતો એક વર્ષથી શંભુ બોર્ડર પર પોતાની માંગણીઓ લઈને બેઠા છે. તેમણે ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હરિયાણા પોલીસે તેમને બોરસરહદ પર અટકાવ્યો.