કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગણીઓેને લઈને વાતચીત માટે આમંત્રણ આપતા કિસાનોએ તોડયા ઉપવાસ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૨૬ નવેમ્બરથી શરૂ કરી હતી ભૂખ હડતાળ

(સંપૂર્ણ સમાચાર સેવા)

કિસાન નેતા જગજીત સિંહ દલેવાલ ૫૦ દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર છે. જ્યાં તેમના સમર્થનમાં ખાનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠેલા ૧૨૧ ખેડૂતોએ તેમની અનિશ્ચિત હડતાળ પાછી ખેંચી લીધી હતી. હકીકતમાં જગજીત સિંહ દલેવાલ તબીબી સહાયતા માટે સંમત થયા બાદ ખેડૂતોએ તેમનો ઉપવાસ તોડ્યા છે. તેમણે ૨૬ નવેમ્બરથી ભૂખ હડતાળ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ તબીબી સહાય લેવાનો ઇનકાર કરી રહ્યા હતા.

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગણીઓેને લઈને ૧૪ ફેબ્રુઆરીના રોજ વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. એ પછી દલેવાલ તબીબી સહાય લેવા સંમત થયા હતા. દલેવાલની બગડતી તબિયત અને સરકાર દ્વારા તેમની માંગણીઓ ન સ્વીકારવાના કારણે ૧૫ જાન્યુઆરીએ ૧૧૧ ખેડૂતોના ગ્રુપે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ૧૭ જાન્યુઆરીએ બીજા વધુ ૧૦ ખેડૂતોએ વિરોધમાં જોડાયા હતા, જેઓ હરિયાણાનો રહેવાસી હતા.

આ ૧૨૧ ખેડૂતોએ ડેપ્યુટી પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ મનદીપ સિંહ સિદ્ધુ અને પટિયાલાના સિનિયર પોલીસ સુપ્રિન્ટેન્ડેડ નાનાક નાનક સિંહની હાજરીમાં જ્યુસ પીને પોતાનો ઉપવાસ તોડ્યો હતો. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રિય રંજનના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટીમે ખેડૂત નેતા દલેવાલ અને સંયુક્ત કિસાન મોરચા તેમજ કિસાન મજૂર મોરચાના પ્રતિનિધિઓને મળ્યા. તેમને ચંદીગઢમાં ફરી વાટાઘાટો શરૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પ્રસ્તાવિત બેઠકની જાહેરાત થયા બાદ દલેવાલ તબીબી મદદ લેવા સંમત થયા હતા. તેમને હાલમાં ઇન્ટ્રાવેનસ ડ્રિપ આપવામાં આવી રહ્યું છે. જોકે તેમણે એમ પણ કહ્યુ કે, ‘જ્યાં સુધી અમને પાક પર MCP ની કાનૂની ગેરંટી ન મળે ત્યાં સુધી અમે અમારા ઉપવાસ સમાપ્ત નહીં કરીએ.’

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે લગભગ એક વર્ષથી મડાગાંઠ ચાલી રહી હતી. ખેડૂતો પંજાબ અને હરિયાણાની શંભુ અને ખાનૌરી બોર્ડર પર એકઠા થયેલા છે. ખેડૂતો એક વર્ષથી શંભુ બોર્ડર પર પોતાની માંગણીઓ લઈને બેઠા છે. તેમણે ફરીથી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હરિયાણા પોલીસે તેમને બોરસરહદ પર અટકાવ્યો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.