Last Updated on by Sampurna Samachar
પ્રશાંત કિશોરની નબળાઈ અને ડિહાઇડ્રેશનને કારણે તબિયત બગડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના પટણામાં જન સૂરજ પાર્ટીના વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહ નીતિકાર પ્રશાંત કિશોર આમરણાંત ઉપવાસ પર છે. આ દરમિયાન તેમની તબિયત મોડી રાત્રે બગડી હતી. ત્યારે તેમને સવારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી. તપાસ બાદ તેને એડમિટ કરવાની સલાહ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર, જન સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર નબળાઈ અને ડિહાઇડ્રેશનને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની સંપૂર્ણ આરોગ્ય તપાસ હૉસ્પિટલમાં કરવામાં આવશે. હૉસ્પિટલ જતાં પહેલાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારી તબિયત ખરાબ હોવા છતાં મારો આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે.’બિહાર પબ્લિક સર્વિસ કમિશનની ૭૦મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોરને પટણા પોલીસ દ્વારા ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી.
જો કે, બાદમાં તેમને સ્થાનિક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ પ્રશાંત કિશોરે જાહેરાત કરી હતી કે તેમનું ઉપવાસ ચાલુ રહેશે. તેમણે નવા વિરોધ સ્થળની જાહેરાત કરવાની વાત કરી હતી. જોકે હવે તેમની તબિયત લથડી છે. ઉલ્લેખનીય છે કે, સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર BPSC ની ૭૦મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા.