કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૮મા પગાર પંચથી પગારમાં થઈ શકે છે ૩૪% નો વધારો!

૮મું પગાર પંચ પોતાના ર્નિણયો અને ભલામણો નક્કી કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો પર વિચાર કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો અત્યારે ૮મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નવું પગાર પંચ લાગુ થવાથી કર્મચારીઓના પગારમાં ૩૪% સુધીનો મોટો ઉછાળો આવી શકે છે. ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર, પગાર પંચ ક્યારે લાગુ થશે અને અગાઉના બાકી નીકળતા નાણાં કેટલા મળશે, તે અંગે લોકોમાં ભારે ચર્ચા છે.

ચાલો આ આખા મામલાને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ પગાર પંચનો અમલ થવાથી તમારા ખિસ્સામાં કેટલો આર્થિક ફાયદો થશે.૮મું પગાર પંચ પોતાના ર્નિણયો અને ભલામણો નક્કી કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો પર વિચાર કરશે. જેમાં દેશની હાલની આર્થિક સ્થિતિ, સરકારી યોજનાઓ માટે જરૂરી ફંડ અને પેન્શન પાછળ થતો ખર્ચ મુખ્ય છે.

ચાલો અલગ-અલગ ગણતરી સમજીએ

આ ઉપરાંત, આ નવા પગાર વધારાની અસર અલગ-અલગ રાજ્યોની આર્થિક સ્થિતિ પર કેવી પડશે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ, સરકારી કર્મચારીઓના હાલના પગાર, કામકાજની પરિસ્થિતિઓ અને તેમને મળતી સુવિધાઓની સરખામણી કરીને એક યોગ્ય ર્નિણય લેવામાં આવશે.

૮મા પગાર પંચમાં તમારો પગાર કેટલો વધશે, તેનો સીધો આધાર ફિટમેન્ટ ફેક્ટર પર રહેલો છે. ચાલો અલગ-અલગ ગણતરી સમજીએ:

જો  ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ રહે: તો મૂળ (બેઝિક) પગારમાં ૩૦ થી ૩૪ ટકાનો વધારો થઈ શકે છે. આ ગણતરી મુજબ પગારની રેન્જ રૂ.૪૬,૨૬૦ થી લઈને રૂ.૬૪૨,૫૦૦ સુધી પહોંચી શકે છે.

જો  ફિટમેન્ટ ફેક્ટર ૩.૦ થાય: તો સરકાર તરફથી મળતો પગાર રૂ.૫૪,૦૦૦ થી રૂ.૭૫૦,૦૦૦ ની વચ્ચે થઈ શકે છે.

જો  ફિટમેન્ટ ફેક્ટર ૩.૨૫ થાય: તો પગારની રેન્જ રૂ.૫૮,૫૦૦ થી લઈને રૂ.૮૧૨,૫૦૦ સુધી પહોંચી શકે છે.

સ્વાભાવિક છે કે ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે, કર્મચારીઓને એટલો જ વધુ આર્થિક લાભ મળશે.

આ નવું પગાર પંચ ક્યારે લાગુ થશે?

જો  આપણે ભૂતકાળના પગાર પંચના રેકોર્ડ જાેઈએ તો, નવા પગાર પંચનો અમલ થવામાં થોડો સમય લાગતો હોય છે. ઉદાહરણ તરીકે:

૭મા પગાર પંચને લાગુ થવામાં લગભગ ૨.૫ વર્ષ લાગ્યા હતા.

૬મા પગાર પંચને ૨ વર્ષનો સમય લાગ્યો હતો.

૫મા પગાર પંચને ૩.૫ વર્ષનો સમય લાગ્યો હતો.

તેથી, ૮મા પગાર પંચના અમલ માટે પણ પ્રક્રિયાગત રીતે થોડો સમય લાગી શકે છે.

એરિયર્સ (બાકી વેતન) કેટલું મળી શકે?

જો  ૮મા પગાર પંચના અમલીકરણમાં મોડું થાય છે, તો કર્મચારીઓને તે સમયગાળાનું એરિયર્સ (બાકી વેતન) ચૂકવવામાં આવશે.એક અંદાજ મુજબ, નીચલા સ્તરના કર્મચારીઓને રૂ.૩ લાખથી વધુ રકમ એરિયર્સ તરીકે મળી શકે છે. જ્યારે લેવલ ૫ ના કર્મચારીઓને ?૯ લાખથી પણ વધુની રકમ બાકી વેતન તરીકે મળવાની પૂરેપૂરી શક્યતા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.