Last Updated on by Sampurna Samachar
બંગાળના મુખ્યમંત્રીએ પોતાના પુસ્તકમાં કોંગ્રેસની ટીકા કરી ભાજપની સફળતા વિશે જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની નવી પુસ્તકમાં કોંગ્રેસની ટીકા કરી છે. આ સિવાય ભાજપને ત્રીજીવાર બહુમતિ ન હોવા છતાં સત્તામાં મળવા પાછળ કોંગ્રેસને જવાબદાર ગણી છે. મમતાનું કહેવું છે કે, કોંગ્રેસની ભૂલોના કારણે વિપક્ષનું ગઠબંધન INDIA ચૂંટણીમાં અસફળ રહ્યું અને ભાજપને બહુમત વિના ફરી સત્તા હાંસલ કરવાની તક મળી.
મમતા બેનર્જીએ ત્રણ નવી પુસ્તકને કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં લૉન્ચ કરી હતી. આ પુસ્તકોમાંથી એકનું નામ BANGLER NIRBACHON AMRA છે. જેમાં તેઓએ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીના પરિણામો પર પોતાના વિચાર વ્યક્ત કર્યાં છે.
પોતાની પુસ્તકમાં મમતા બેનર્જીએ કહ્યું કે, અમે ભારતીય જનતા પાર્ટી સામે એક મજબૂત વિપક્ષી ગઠબંધન બનાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો, જેમાં તમામ વિરોધી પાર્ટીને એકજૂટ કરી શકાય. શરૂઆતથી જ અમે એક સામાન્ય ન્યૂનતમ કાર્યક્રમ અને સામાન્ય ચૂંટણી ઢંઢેરા પર ભાર મૂકી રહ્યા હતાં. વિપક્ષી ગઠબંધનનું નામ પણ મારો જ પ્રસ્તાવ હતો.
કોંગ્રેસને રાષ્ટ્રીય ગઠબંધનનો નેતા બનાવવા માટેનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ન તો કોઈ સામાન્ય ન્યૂનતમ કાર્યક્રમ થયો અને ન કોઈ સામાન્ય ચૂંટણી ઢંઢેરો. ગઠબંધનના સભ્ય એકબીજા સામે જ ચૂંટણી લડી રહ્યા હતાં. જેનો ફાયદો ભાજપને મળ્યો અને તે બહુમત વિના સત્તામાં પરત ફરવા માટે સફળ રહી.
મમતા બેનર્જીએ પોતાની પુસ્તકમાં એવો પણ દાવો કર્યો કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં જેટલી બેઠકો જીતી તેમાંથી મોટાભાગની બેઠક ઈન્ડિયા ગઠબંધનના અન્ય સહયોગીના સમર્થનના કારણે જ મળી શકી છે.
જણાવી દઈએ કે, બંગાળમાં કોંગ્રેસ અને CPI (M) નેતૃત્વવાળા વામ મોરચાની વચ્ચે બેઠક વહેંચણીની વ્યવસ્થા પર પણ મમતા બેનર્જીએ ટિપ્પણી કરી. તેઓએ કહ્યું કે, રાજ્યમાં આ ભાજપ સાથે ગુપ્ત સમજૂતી હેઠળ મોટું એન્ટી-તૃણમૂલ કોંગ્રેસ ગઠબંધન હતું. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની સફળતા તેમની સરકાર દ્વારા કરવામાં આવેલાં વિભિન્ન વિકાસાત્મક કાર્યોથી પ્રેરિત જનતાના સમર્થનના કારણે હતું.
૨૦૨૪ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ૨૯ બેઠક જીતી હતી. ૨૦૧૯માં તેની સંખ્યા ૨૨ હતી. વળી ભાજપ પોતાના નબળા દેખાવ સાથે ૧૨ બેઠકો પર સિમિત રહ્યું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના ૧૮ સાંસદ હતાં, કોંગ્રેસે એક બેઠક જીતી હતી. જ્યારે CPI (M) નેતૃત્વવાળા મારચાને કોઈ બેઠક નહતી મળી.