Last Updated on by Sampurna Samachar
અજિત પવારના દુ:ખદ અવસાનથી સમગ્ર દેશ આઘાતમાં
વર્ષ 2025 માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના બારામતી નજીક એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. એનસીપી નેતા પવાર એક ચૂંટણી રેલીને સંબોધવા માટે ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. વિમાન બારામતીમાં લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. વિમાન સંપૂર્ણપણે બળી ગયું હતું, જેમાં સવાર પાંચેય લોકોના મોત થયા હતા.

વાત કરીએ તો અજિત પવારના દુ:ખદ અવસાનથી સમગ્ર દેશ આઘાતમાં છે. તેમનું અવસાન દેશના રાજકીય પરિદૃશ્ય માટે એક મોટું નુકસાન છે. ત્યારે આવા વિમાન દુર્ઘટનામાં ઘણા અન્ય ભારતીય નેતાઓના જીવ ગયા છે, જેમાં તાજેતરમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે.
તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન જઈ રહ્યા હતા. જ્યાં અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનુ ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ મૃત્યુ થયું હતું. તેમજ વાય.એસ. રાજશેખર રેડ્ડીનું ગુમ થયેલ વિમાન પહાડીઓમાં મળ્યું! ૨ સપ્ટેમ્બર, ૨૦૦૯ ના રોજ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું.
રાજશેખર રેડ્ડી સવારે ૮:૩૮ વાગ્યે ચિત્તૂર જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બેગમપેટથી નીકળ્યા હતા. તેમને સવારે ૧૦:૩૦ વાગ્યે કાર્યક્રમમાં પહોંચવાનું હતું, પરંતુ તેઓ ક્યારેય પહોંચ્યા નહીં. તેમનું હેલિકોપ્ટર હવામાં ગાયબ થઈ ગયું, અને રેસ્ક્યૂ-શોધખોળ કરી હોવા છતાં, તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં.

બીજા દિવસે, વાયુસેનાને શોધ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો. હેલિકોપ્ટર પર્વતની ટોચ પર ક્રેશ થયું, જેના કારણે ટેકરીઓ પર કાટમાળ ફેલાયો. મળતા અહેવાલ મુજબ, રેડ્ડીનો મૃતદેહ એન્જિન પાસે વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના માથા પરના છૂટાછવાયા વાળથી તેમની ઓળખ થઈ હતી.
જી.એમ.સી. બાલયોગી
ડૉ. જી.એમ.સી. બાલયોગીનું ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. તે સમયે તેઓ લોકસભાના સ્પીકર હતા. આ અકસ્માત આંધ્રપ્રદેશમાં થયો હતો. જી.એમ.સી. બાલયોગી તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય હતા.
માધવરાવ સિંધિયા
કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું ૫૬ વર્ષની વયે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ઉત્તરપ્રદેશમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. સિંધિયાનું હેલિકોપ્ટર ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાવ તહસીલ નજીક મોટેમાં ક્રેશ થયું હતું. તેઓ એક રેલીને સંબોધવા કાનપુર જઈ રહ્યા હતા.
વિમાનમાં અન્ય ૬ લોકો સવાર હતા. આ વિમાન આગ્રાથી ૮૫ કિલોમીટર દૂર ક્રેશ થયું હતું, જેમાં તમામ સવારોના મોત થયા હતા.
સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મોત
ભૂતપૂર્વ ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર અને રાજીવ ગાંધીના ભાઈ સંજય ગાંધીને ઉડાનનો શોખ હતો. ૨૩ જૂન, ૧૯૭૦ ના રોજ, તેઓ દિલ્હીમાં પોતાનું વિમાન ઉડાડી રહ્યા હતા. તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં તેમનું જીવન ગયું હતું.