Last Updated on by Sampurna Samachar
લગ્ન બાદ ૬ મહિનામાં ફક્ત ૨૧ દિવસ જ બંને સાથે રહ્યા
એક ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ કરી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને લોકો બહુ પસંદ કરે છે. જ્યાં ચાહકોમાં તેઓ પાવર કપલ્સ માનવામાં આવે છે. હાલમાં જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરતાં અનુષ્કા શર્માએ તેના પતિ માટે એક પ્રેમ ભરેલી પોસ્ટ કરી હતી. ત્યારે હવે અનુષ્કાનો એક ઈન્ટરવ્યૂ ઘણો ચર્ચામાં છે, જેમાં અભિનેત્રી તેના લગ્નજીવન વિશે વાત કરી છે. , હંમેશા સાથે જોવા મળતા આ કપલે લગ્ન પછીના પહેલા ૬ મહિનામાં ફક્ત ૨૧ દિવસ જ એકબીજા સાથે વિતાવ્યા હતા જે વાતનો ખૂલાસો ખુદ અનુષ્કાએ કર્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (ANUSHKA SHARMA) એ ૩ વર્ષની ડેટિંગ પછી ૨૦૧૭ માં લગ્ન કર્યા હતા. બંને એક પ્રાઈવેટ સેરેમની લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથેના તેના સંબંધો વિશે વાત કરી.
અમે દરરોજ એકબીજાને પ્રેમ કરીને જીવીએ
આ દરમિયાન, તેણે જણાવ્યું હતું કે- લગ્નના પહેલા છ મહિના દરમિયાન, વિરાટ અને તે ફક્ત ૨૧ દિવસ સાથે રહ્યા હતા. જ્યારે હું વિરાટને મળવા જાઉં છું અથવા તે મને મળવા આવે છે, ત્યારે લોકો ધારે છે કે તે વેકેશન પર છે, પરંતુ એવું નથી. તે માણસ હંમેશા કામ કરતો રહે છે. અમારા લગ્નના પહેલા છ મહિના દરમિયાન અમે ૨૧ દિવસ સાથે રહ્યા. મેં બધી ગણતરીઓ કરી. તેથી જ્યારે હું તેને વિદેશમાં મળવા જાઉં છું, ત્યારે વેકેશન માટે નહિ પણ એક ટાઈમ સાથે જમવાના આગ્રહથી જાઉં છું. આ અમારો ખૂબ જ કિંમતી સમય છે.
આ દરમિયાન વિરાટે અનુષ્કા સાથેના બોન્ડ વિશે પણ વાત કરી. તેણે કહ્યું- અમે દરરોજ એકબીજાને પ્રેમ કરીને જીવીએ છીએ. અમારો સંબંધ હંમેશા પ્રેમ અને ફક્ત પ્રેમ વિશે રહ્યો છે. અમને એવું લાગે છે કે અમે એકબીજાને થોડા વર્ષોથી નહીં, પણ સદીઓથી ઓળખીએ છીએ. વિરાટ આગળ કહે છે કે- તેણે મને જીવનમાં એક નવો રસ્તો આપ્યો છે. હું તેને મળ્યો તે પહેલાં હું એટલો સમજદાર કે વ્યવસ્થિત નહોતો. તેણે મને એક સારો વ્યક્તિ બનાવ્યો છે અને હું મારી સૌથી અદ્ભુત સ્ત્રી સાથે મારું જીવન વિતાવીને ધન્ય અનુભવું છું.