Last Updated on by Sampurna Samachar
BJPએ રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કર્યા ૯ ઉમેદવાર
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૫ માર્ચ, ૧૫ માર્ચે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી પણ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને પણ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે બિહારથી નીતિન અને શિવેશ રામને ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૫ માર્ચ છે. ૧૫ માર્ચે મતદાન થવાનું છે અને તે જ દિવસે મતગણતરી પણ થશે.

ભાજપે છ રાજ્યોમાંથી રાજ્યસભાના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા. જાેકે, પાર્ટીએ હજુ સુધી મહારાષ્ટ્રના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. પાર્ટીએ હરિયાણાથી સંજય ભાટિયા અને પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહાને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે છત્તીસગઢથી લક્ષ્મી વર્મા અને ઓડિશાથી પ્રદેશ પ્રમુખ મનમોહન શામલ અને સુજીત કુમારને ઉમેદવાર બનાવ્યા છે.
આસામથી કોણે બનાવાયા ઉમેદવાર ?
તારશ ગોવાલા અને જગનમોહનને આસામથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.બિહારમાં, ૨૦૨૬ ની રાજ્યસભાની ચૂંટણીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. બિહારના પાંચ રાજ્યસભા સભ્યો જેમનો કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થાય છે તેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ, પ્રેમચંદ ગુપ્તા, કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુર, અમરેન્દ્ર ધારી સિંહ અને ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે.
હરિવંશ નારાયણ સિંહ અને રામનાથ ઠાકુર જેડીયુમાંથી છે, પ્રેમચંદ ગુપ્તા અને અમરેન્દ્ર ધારી સિંહ આરજેડીમાંથી છે, અને ઉપેન્દ્ર કુશવાહા રાષ્ટ્રીય લોક મોરચાનું પ્રતિનિધિત્વ કરે છે.૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યાને જાેતાં પાંચમાંથી ચાર બેઠકો એનડીએમાં જવાનું નિશ્ચિત માનવામાં આવે છે. પાંચમી બેઠક સુરક્ષિત કરવા માટે એનડીએને ત્રણ વધારાના ધારાસભ્યોના ટેકાની જરૂર પડશે.
હાલમાં, જેડીયુ પાસે બે બેઠકો છે. ભાજપે પહેલાથી જ બે બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. હવે, પાંચમી બેઠક બાકી છે, જેના માટે રાજકીય હોર્સ ટ્રેડિંગ જાેરશોરથી ચાલી રહ્યું છે.