Last Updated on by Sampurna Samachar
આંધ્રપ્રદેશના લોકોને આ પ્રમાણપત્ર મેળવવામાં નહીં પડે મુશ્કેલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલના સમયમાં કોઇ પણ સરકારી દસ્તાવેજ સરકારી કચેરીમાંથી મેળવવા માટે દરેક લોકોએ ઘણાં ધરમ ધક્કા ખાવા પડતાં હોય છે. ત્યારે આ બધાની વચ્ચે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા સરકારી દસ્તાવેજ લોકોને સરળતાથી મળી રહે તેવી એક યોજના શરૂ કરવામાં આવવાની છે.

આંધ્ર પ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ તેની WHATSAPP ગવર્નન્સ સર્વિસ’ હેઠળ WHATSAPP ના માધ્યમથી જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર ઘર બેઠા આપશે. મુખ્ય સચિવ કે વિજયાનંદ ૨૦ જાન્યુઆરી તેની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ સેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ આ મહિનાના અંતમાં તેનાલીમાં આયોજિત કરવામાં આવશે, જેથી પ્રક્રિયાની શોધ કરી શકાય.
મુખ્ય સચિવ વિજયાનંદે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના ઉદ્દેશ્યોને અનુરૂપ લોકોને વ્હોટ્સએપ ગવર્નન્સ સેવાઓ પ્રદાન કરશે. આ અંતર્ગત લોકો જલ્દી જ WHATS APP દ્વારા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવી શકશે. વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રીઅલ-ટાઇમ ગવર્નન્સ સોસાયટી (RTGS) કાર્યાલયમાં પ્રક્રિયા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વિજયાનંદે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનનો હેતુ WHATS APP ગવર્નન્સની રજૂઆત કરીને સરકારી સેવાઓને વધુ સુલભ અને સુવિધાજનક બનાવવાનો છે. તેમણે RTGS અને સંબંધિત વિભાગોના અધિકારીઓને આ પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે. તેમણે પંચાયતી રાજ, આરોગ્ય અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન વિભાગોને આ પહેલના સફળ અમલીકરણ માટે RTGS અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિએ તેના બાળકોનું જન્મ પ્રમાણપત્ર અથવા કુટુંબમાં કોઈનું મૃત્યુ થવાના કિસ્સામાં મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, ત્યારે તેણે તેના પોતાના જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને અરજી કરવી પડે છે. તપાસ બાદ ત્યાંથી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
એટલું જ નહીં અરજદારોએ મહાનગરપાલિકાના અનેક ચક્કર પણ મારવા પડે છે. ઘણી વખત લોકો પાસેથી લાંચ પણ માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર લોકોની સુવિધા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.