Last Updated on by Sampurna Samachar
મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે
અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫ % ટેરિફ લગાવવાનો ર્નિણય લીધો છે. હવે તેમણે રશિયા અને ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ સંકેત આપ્યા છે કે, કે અમેરિકા હવે આ બંને દેશ સાથે વધુ વેપાર કરવા માંગતું નથી. નોંધનીય છે કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. મને ફક્ત એ જ ફરક પડે છે કે તે મળીને પોતાના મૃત અર્થતંત્રને કેવી રીતે નીચે લાવી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. રશિયા અને અમેરિકા પણ લગભગ કોઈ વેપાર કરતા નથી. ચાલો તેને આ રીતે જ રાખીએ.
નાના ખેડૂતો થઇ શકે પ્રભાવિત
રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ પર પ્રહાર કતરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ પોતાને પ્રમુખ માને છે. તેણે પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું હતું કે, અમેરિકાના પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમ ગેમ રમી રહ્યા છે અને આવા દ્રષ્ટિકોણ અમેરિકાને રશિયા સાથે યુદ્ધ તરફ દોરી શકે છે.
અમેરિકાએ ફરી એકવાર ભારત પર ૨૫% ટેરિફ ઝીંક્યો છે. ૩૦ જુલાઈના રોજ, ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ ૨૫% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.
અમેરિકા ભારત પાસેથી તેના કૃષિ અને ડેરી ઉત્પાદનો અને આનુવંશિક રીતે સુધારેલા પાક માટે બજારો ખોલવા અને તેમના પરના ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત આ ક્ષેત્રોમાં ૧૦૦ ટકા સુધી ટેરિફ દૂર કરે અથવા ઘટાડે. ભારત આ માટે સંમત નથી. ભારત સંમત ન થવાનું કારણ એ છે કે ભારતમાં વસ્તીનો મોટો વર્ગ આનાથી પ્રભાવિત થશે. ખાસ કરીને નાના ખેડૂતો આનાથી પ્રભાવિત થઈ શકે છે.