Last Updated on by Sampurna Samachar
તાત્કાલિક રૂપે વિમાનને હાલ AOG જાહેર કરાયુ હતુ
ઇન્ડિગોની એક ફ્લાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એર ઈન્ડિયાનું એક વિમાન અકસ્માતનો ભોગ બનતા માંડ-માંડ બચ્યું. કોલંબો-ચેન્નઈની ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાઇ ગયું હતું, જેના કારણે એરલાઇને પોતાની વાપસી યાત્રા રદ કરવી પડી હતી. આ સિવાય ઇન્ડિગોની એક ફ્લાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયાની ચેન્નઈથી કોલંબો જતી ફ્લાઇટ AI -૨૭૩ સાથે એક પક્ષી અથડાયું હતું. આ ઘટના રાત્રે આશરે ૧:૫૫ વાગ્યે કોલંબો એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન થઈ હતી. જોકે, આ ઘટના બાદ તેને સામાન્ય ગણી પણ વિમાનને ઉડાન માટે ક્લિયરન્સ આપવામાં આવ્યું. ત્યાર બાદ જ્યારે આ જ વિમાન AI -૨૭૪ના રૂપે સવારે ૪:૩૪ વાગ્યે કોલંબોથી ચેન્નઈ પરત ફરી રહ્યું હતું તો ટેક્નિકલ ટીમે રૂટીન તપાસ કરી, જેમાં ફેન બ્લેડમાં નુકસાન જોવા મળ્યું.
આ વિમાનમાં ૧૫૮ મુસાફર હતા
હવે તાત્કાલિક રૂપે વિમાનને હાલ AOG (એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ) જાહેર કરી તેને સેવામાંથી બહાર કરવામાં આવ્યું છે. તેને ઠીક કરવામાં આવશે અને સંપૂર્ણ તપાસ બાદ જ તેનો ફરી ઉપયોગ કરવામાં આવશે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિમાનમાં ૧૫૮ મુસાફરી હતા. ઈન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહી હતી, પરંતુ ભારતીય વાયુસેનાની એક્સરસાઇઝના કારણે તેને લખનૌ મોકલી દેવામાં આવી હતી.