AMTS બસ રિપેર કરતા બે ફોરમેનના ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતમાં કરૂણ મોત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અકસ્માત થતા ઓવરબિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદના રસ્તા પર ફરી લોહીની નદી વહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં AMTS બસ રિપેર કરતા બે ફોરમેનને આઈસર ટ્રકે કચડ્યા હતા. જ્યાં સ્થળ પર જ બે ફોરમેનના મોત નિપજ્યા હતા. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોચી તપાસ શરૂ કરી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક AMTS બસ બંધ થતા બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી હતી. બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે પાછળથી આઇસરે ટ્રકે AMTS બસને ટક્કર મારી હતી. આઈસરે બસને ટક્કર મારતા બંને વચ્ચે કામ કરી રહેલા ફોરમેનના હૃદયાનંદ રામલક્ષ્મણ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી મોત નિપજ્યા હતા.  આ અકસ્માતની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

અકસ્માત થતા ઓવરબિજને એક તરફથી બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, ટ્રાફિક પોલીસે આઈસર ટ્રક ચાલકની અટકાયત કરી છે.  તો બીજી તરફ, બંને ફોરમેનના પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા જ માહોલમાં ગમગીની છવાઈ હતી. પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો. આઈસર ટ્રકની એક ભૂલને કારણે બે ફોરમેને પોતાના જીવ ગુમાવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.