Last Updated on by Sampurna Samachar
રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના મહાન ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમના પત્ની પ્રીતિ અદાણી સાથે મહાકુંભ પહોચ્યાં હતા. આ દરમિયાન, તેમણે તેમની પત્ની સાથે મળીને ઇસ્કોન મંદિરના કેમ્પમાં લોકોને ભોજનનું વિતરણ કર્યું. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ અને ઇસ્કોને પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ભક્તોને ભોજન પીરસવા માટે હાથ મિલાવ્યા છે. ૧૩ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી સુધીના મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન મહાપ્રસાદ સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

ગૌતમ અદાણી પણ સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે ડૂબકી મારતા જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇન્ફોસિસ ગ્રુપના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા. ત્યારે સુધા મૂર્તિ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા મહારાજા ટેન્ટમાં રહે છે. અત્યાર સુધીમાં ૮ કરોડ ૩૦ લાખથી વધુ ભક્તો મહાકુંભમાં સ્નાન કરી ચૂક્યા છે.
ગૌતમ અદાણીએ મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પૂજા કરી હતી. ત્યારબાદ મોટા હનુમાન મંદિરની મુલાકાત લીધી. ઉપરાંત, તેઓ ૫૦ લાખ લોકોને મહાપ્રસાદ ભોજન પૂરું પાડવામાં પણ સામેલ થયા હતા અને તેઓએ પોતાના હાથે વહેંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ, ઇસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી, મહાકુંભમાં સતત મફત પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે, જેનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. અત્યારસુધીમાં, ૨૭.૪૧ લાખથી વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે.