Last Updated on by Sampurna Samachar
બેંકે મનપસંદ લોકોને લોન આપી લોન માફ કરાયામાં પ્રિતીનુ નામ
પ્રિતી ઝિન્ટાએ મહાકુંભમાં ડુબકી લગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફિલ્મી (FILMY) દુનિયામાં જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા વર્ષોથી મોટા પડદાથી ગાયબ રહે છે. પરંતુ તે ઘણીવાર કોઇને કોઇ વાતને લઇ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે તે ફરીએકવાર તેના એક જૂના વિવાદને કારણે સમાચારમાં આવી છે.
હકીકતમાં, થોડા સમય પહેલા, ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં અનિયમિતતાને કારણે, ગ્રાહકોને તેમના પૈસા મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે, એવા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા કે બેંકે નિયમોનું પાલન કર્યા વિના કેટલાક મનપસંદ લોકોને મોટી લોન આપી હતી અને તેમની લોન પણ માફ કરી દેવામાં આવી હતી. આમાં એક નામનો ઉલ્લેખ પ્રીતિ ઝિન્ટાનો હતો. મળતી માહિતી મુજબ તેણે બેંક પાસેથી ૧૮ કરોડ રૂપિયાની લોન લીધી હતી જે બાદમાં માફ કરવામાં આવી હતી.
બેંક ખાતું બંધ કરી દેવામાં આવ્યું
હવે પ્રીતિ ઝિન્ટાએ એક નિવેદનમાં આરોપોને નકારી કાઢ્યા છે અને આ બાબતમાં સ્પષ્ટતા કરી છે. આ આરોપોના જવાબમાં, ઝિન્ટાએ તેની કાનૂની ટીમ દ્વારા પોર્ટલને એક નિવેદન જારી કરીને કહ્યું, “૧૨ વર્ષથી વધુ સમય પહેલા મારી પાસે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક સાથે ઓવરડ્રાફ્ટ સુવિધા હતી. ૧૦ વર્ષથી વધુ સમય પહેલા મેં આ ઓવરડ્રાફ્ટ સુવિધાના સંદર્ભમાં બાકી રહેલી સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હતી અને ખાતું બંધ કરી દેવામાં આવ્યું હતું.”
લોન માફીના વિવાદ વચ્ચે, પ્રીતિ ઝિન્ટાએ મહાકુંભમાં ધાર્મિક ડૂબકી લગાવી. તેણે પ્રયાગરાજનો પોતાનો એક ફોટો શેર કર્યો જેમાં તેણી કપાળ પર તિલક અને ગળામાં માળા પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે રોડ માર્ગે મહાકુંભ પહોંચી હતી.