Last Updated on by Sampurna Samachar
ચેન્નઈ પોલીસે વિજય અને નીલાંકરઈ ઘરની સુરક્ષા સઘન બનાવી
પીડિત પરિવારોને ૨૦ લાખનું વળતર આપવાની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી કઝગમની રેલીમાં ભાગદોડ થયાના બીજા જ દિવસે, પાર્ટીના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલપતિના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. આ ધમકીના પગલે, ચેન્નઈ પોલીસે વિજય અને નીલાંકરઈ સ્થિત તેમના ઘરની સુરક્ષા સઘન બનાવી દીધી છે. હાલમાં, પોલીસ ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે અને તેનો ઇરાદો શું હતો તે જાણવા માટે તપાસ કરી રહી છે.

કરૂરમાં ભાગદોડની ઘટના બાદ વિજય ચેન્નઈ પાછા ફર્યા હતા. ત્યારથી જ પોલીસે તેમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી હતી, પરંતુ બોમ્બની ધમકી મળ્યા બાદ ત્યાં ચેન્નઈ પોલીસ અને CRPF ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
વિજયે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો
બોમ્બની ધમકી મળતા જ, બોમ્બ નિરોધક દળ ખોજી શ્વાન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને પ્રમુખના ઘરની ચારે બાજુ સઘન સુરક્ષા તપાસ કરવામાં આવી. જોકે, સર્ચ ઓપરેશનમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. આ દરમિયાન, પોલીસે વિજયના સમર્થકો અને સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી બાજુ, ભાગદોડની ઘટનાને કારણે વિવિધ ક્ષેત્રોમાંથી ટીકાઓનો સામનો કરી રહેલા વિજયે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને ૨૦ લાખનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે.
તમિલનાડુના કરુરમાં અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમના પ્રમુખ વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં ૪૦ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મૃત્યુ પામેલા લોકોમાં ૧૦ બાળકો, ૧૭ મહિલાઓ અને ૧૩ પુરુષોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ૬૦ થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી ૨ લોકોની હાલત ગંભીર છે.
મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન, વિપક્ષના નેતા એડાપ્પાદી કે. પલાનીસ્વામી, ભાજપના નેતાઓ નૈનાર નાગેન્દ્રન અને કે. અન્નામલાઈ, ફઝ્રદ્ભના વડા થોલ થિરુમાવલવન, ઁસ્દ્ભના ટોચના નેતા અંબુમણિ રામદાસ સહિત ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી. રજનીકાંત અને મક્કલ નિધિ મય્યમ (સ્દ્ગસ્)ના વડા કમલ હાસન સહિત અનેક હસ્તીઓએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું.