Last Updated on by Sampurna Samachar
માતાઓ અને બહેનો પુરૂષોને સમજાવો કે ભાજપમાં કંઇ નથી અમને વોટ કરે : કેજરીવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેનો અંદાજ આપ્યો છે. તેમના મતે, આ વખતે પાર્ટી દિલ્હીમાં ૭૦ માંથી ૫૫ બેઠકો જીતી શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે જો મહિલાઓ પ્રયત્ન કરે તો આ આંકડો ૬૦ ને પણ પાર કરી શકે છે.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, મારા અંદાજ મુજબ, આમ આદમી પાર્ટીને ૫૫ બેઠકો મળી રહી છે પરંતુ જો મહિલાઓ પ્રયાસ કરે તો – દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ અને તેમના ઘરના પુરુષોને પણ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મનાવવું જોઈએ. તેથી વધુ ૬૦ થી વધુ પણ આવી શકે છે.
કાલકાજીમાં રોડ શો પછી, અરવિંદ કેજરીવાલે તે ત્રણ મતવિસ્તારો વિશે પણ આગાહી કરી છે જ્યાંથી તેઓ, આતિશી અને મનીષ સિસોદિયા ઉમેદવાર છે. તેમણે કહ્યું કે, ભાજપ દાવો કરી રહી છે કે આપની ત્રણ બેઠકો અટકી ગઈ છે, નવી દિલ્હી, જંગપુરા અને કાલકાજી. પરંતુ અમે આ બેઠકો ઐતિહાસિક માર્જિનથી જીતવાના છીએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું, હું મારી માતાઓ અને બહેનોને અપીલ કરવા માંગુ છું કે તેઓ તેમના પુત્રો, પતિઓ, પિતાઓ, ભાઈઓને સમજાવે કે ભાજપમાં કંઈ નથી. ભાજપ અમીરોનો પક્ષ છે. ફક્ત કેજરીવાલ જ આ કામ કરી શકશે.
તેમણે કહ્યું કે, દરેક મહિલાએ મતદાન કરવા જવું જોઈએ અને તેમના ઘરના પુરુષોને પણ સમજાવવું જોઈએ જેથી તેઓ ૬૦ બેઠકો પાર કરી શકે. તેમણે કહ્યું કે, ભાજપના લોકો દાવો કરી રહ્યા હતા કે ત્રણ બેઠકો અટકી ગઈ છે. પરંતુ નવી દિલ્હી, કાલકાજી, જંગપુરા આ ત્રણેય બેઠક આમ આદમી પાર્ટી ઐતિહાસિક માર્જિનથી જીતવા જઈ રહી છે.