કેન્દ્રનું મોટું નિવેદન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર

ભારતે નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી: MEA

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિકરાજકીય સમીકરણો વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક શાંતિમાટે સક્રિય બન્યું છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એક તરફ ખાડી દેશોસાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરી રહી છે, તો બીજી તરફ પડોશી દેશોની જરૂરિયાતોને પણ પ્રાધાન્ય આપીરહી છે.

તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા લેબેનોનની સ્થિતિ અને ઊર્જા ક્ષેત્રે લેવાયેલા મહત્ત્વના પગલાં અંગેસત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ

દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે, અમે મિડલ ઈસ્ટમાં થઈરહેલા ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ.

વડાપ્રધાનના નિર્દેશ પર આપણા મંત્રીઓ ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ખાડી દેશોની મુલાકાત લઈ રહ્યાછે. વિદેશ મંત્રી હાલમાં મોરેશિયસની મુલાકાતે છે, જ્યાંથી તેઓ ૧૧ અને ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યુએઈ જશે. તેઓ ભારતયુએઈ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ત્યાંના નેતાઓ સાથે ચર્ચા કરશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણે આપણી ઊર્જા સુરક્ષા મજબૂત કરવાની સાથે પડોશી દેશોની વિનંતી મુજબતેમની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સહાય પૂરી પાડી રહ્યા છીએ. અમે બે અઠવાડિયા પહેલાશ્રીલંકાને ૩૮ મેટ્રિક ટન પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો પૂરો પાડ્યો હતો.

અમે તેલ અને ગેસના પુરવઠા માટેસરકારટુસરકા(ય્૨ય્) કરારને અંતિમ ઓપ આપી રહ્યા છીએ, જે મોરેશિયસની ઊર્જા સુરક્ષાને મજબૂતકરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આપણા પેટ્રોલિયમ મંત્રી અને ૧૦ એપ્રિલના રોજ કતારની મુલાકાતે છે. હાલમાં તેઓ કતારમાં છે. કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર છે.

કતારના ઊર્જા મંત્રીએ ભારતનેવિશ્વાસપાત્ર ઊર્જા સપ્લાયર તરીકે રહેવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી છે અને ભારત સાથે ઊર્જા સંબંધો અનેસહયોગને ચાલુ રાખવા તેમજ મજબૂત કરવા ઈચ્છા વ્યક્ત કરી છે.

દિલ્હીમાં રણધીર જયસ્વાલે વધુમાં જણાવ્યું કે, લેબેનોનમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતના અહેવાલોથીઅમે ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. લેબેનોનની શાંતિ અને સુરક્ષા માટે કામ કરતા યુનિફિલમાં સૈનિકોફાળવતા દેશ તરીકે ઘટનાઓની દિશા ખૂબ ચિંતાજનક છે.

ભારતે હંમેશા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓનુંપાલન કરવું અને રાજ્યોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું આવશ્યક છે. લેબેનોનમાંઅમારું દૂતાવાસ ભારતીય સમુદાયની સુરક્ષા માટે તેમના સતત સંપર્કમાં છે.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે જણાવ્યું હતું કે, હું પણ જણાવવામાંગુ છું કે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીએ આજે અમારા મંત્રાલય હેઠળના તમામ બંદરો અને તમામસંસ્થાઓ સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી છે.

તેમણે બંદરો અને ડીજી શિપિં સહિતની તમામ સંસ્થાઓને આદેશ આપ્યો છે કે નિકાસકારો અથવા અન્ય કોઈ દ્વારા ધ્યાનમાં લાવવામાંઆવેલી સમસ્યાઓનો ઉકેલ લાવવા તાત્કાલિક પગલાં લેવામાં આવે. પ્રદેશમાં તમામ ભારતીય નાવિકોસુરક્ષિત છે અને છેલ્લા ૨૪ કલાકમાં ભારતીય ધ્વજ ધરાવતા કોઈપણ જહાજ સાથે કોઈ અપ્રિય ઘટના બનીનથી.

મંત્રાલયે અત્યાર સુધીમાં ,૯૨૭થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પરત લાવવાની સુવિધા પૂરી પાડી છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪ નાવિકોનો સમાવેશ થાય છે. નાવિકોનું કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરીસુનિશ્ચિત કરવા માટે મંત્રાલય વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિતધારકો સાથે સંકલન કરવાનુંચાલુ રાખશે.

સુજાતા શર્મા, જોઈન્ટ સેક્રેટરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયેજણાવ્યું હતું કે, …અમારા એલપીવિતરકો અને પેટ્રોલ પંપો પાસે પૂરતો સ્ટોક છે, ક્યાંય સ્ટોકખાલી થયો હોવાના અહેવાલ નથીઅમારા ઘરેલું એલપીજી સિલિન્ડરનો પુરવઠો સામાન્ય છેઅને ઓનલાઇન બુકિંગ લગભગ ૯૮ ટકા સુધી પહોંચી ગયું છે. વધુમાં, હવે અમારી ૯૨ ટકા ડિલિવરી વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહી છે.

જેમ તમે જાણો છો, કોમર્શિયલ એલપીજી પુરવઠો તેની ક્ષમતાના ૭૦ટકા સુધી પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે; શ્રેણીમાં હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, ઢાબા, મજૂરકેમ્પ, શ્રમસઘન ઉદ્યોગો, પેકેજિંગ યુનિટ્સ, ફાર્માસ્યુટિકલ સેક્ટર અને સ્થળાંતરિત મજૂરોને પ્રાથમિકતાઆપવામાં આવી છે. અમારી પાસે હાલમાં ક્રૂડ ઓઈલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.