Last Updated on by Sampurna Samachar
આગામી બે મેચમાં એમએસ ધોની મેદાનમાં નહીં ઉતરે
ચેન્નાઈ સુગર કિંગ્સને સતત ૩ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને અત્યાર સુધી એક પણ જીત મળી નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૬ની શરૂઆતમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમને સતત ૩મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને અત્યાર સુધી એક પણ જીત મળી નથી. બીજી તરફ ટીમનાઆઈકોન અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની પિંડલીની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે.

ટૂર્નામેન્ટનીશરૂઆતમાં ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું કે ધોની રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને પ્રથમ બેઅઠવાડિયા સુધી મેદાન પર ઉતરી શકશે નહીં. આ મુજબ એમએસ ધોની ઓછામાં ઓછી ૩ મેચ રમી શકશેનહીં. પરંતુ હવે ચોથી મેચ પહેલા માહીની વાપસી પર વધુ એક અપડેટ સામે આવ્યું છે.
ઘરેલુ મેચમાં પણ તે મેદાન પર ઉતર્યો ન હતો
મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસને લઈને ચિંતા યથાવત છે. ક્રિકબઝ રિપોર્ટ મુજબ ધોની હજુ પણ ઈજામાંથી બહારઆવવા માટે રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે અને હજુ તે મેચ ફિટ નથી. સિઝનની શરૂઆતનીત્રણ મેચોમાં તેણે ટીમ સાથે મુસાફરી કરી ન હતી, જ્યારે ઘરેલુ મેચમાં પણ તે મેદાન પર ઉતર્યો ન હતો.
૪૪ વર્ષીય ધોની હાલમાં ચેન્નાઈમાં તેના પરિવાર સાથે છે અને ટીમના ફિઝિયો અને મસાજરની દેખરેખ હેઠળરિકવરી કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે નેટ્સ પર બેટિંગ સેશન પણ કર્યું હતું, પરંતુ ફૂલ ફિટનેસ મેળવવામાં હજુ સમય લાગશે.
રિપોર્ટ મુજબ, ધોનીને મેચ રમવા લાયક ફિટ થવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું હજુ વધુ લાગી શકે છે. આવી સ્થિતિમાં ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં દિલ્હી કેપિટલ્સ સામેની હોમમેચમાં માહી રમશે તેવી શક્યતા ઘણી ઓછી છે. ત્યારબાદ ૧૪ એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ તેના મેદાનમાં ઉતરવાની આશાઓ નબળી જ છે.
ધોનીની ગેરહાજરીમાં શરૂઆત નિરાશાજનક રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમે હજુ સુધી કોઈ મેચજીતી નથી, જે સિઝનની બીજી સૌથી લાંબી શરૂઆતી હારની શ્રેણી છે. ટીમને ધોનીના અનુભવ અને ફિનિશિંગ સ્કિલ્સની ઘણી જરૂર અનુભવાઈ રહી છે. આ સિવાય યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ પણ સાઇડ સ્ટ્રેન ઈજાને કારણે પ્રથમ ત્રણ મેચમાંથી બહાર રહ્યો છે. તેની રિકવરી સારી ચાલી રહી છે અને આગામી મેચમાં રમશે તો ટીમના દેખાવમાં મોટો ફર્ક પડી શકે તેમ છે.