ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા

ભાજપમાં જોડાતા કરપડાએ કહ્યું, સરકારની સાથે રહીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનો કરીશું પ્રયાસ

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ધમાલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. રાજુકરપડા પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાને ભાજપનોખેસ પહેરાવી સ્વાગત કરાયું. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ઝંપલાવે તેવી શક્યતા હાલ દેખાઈરહી છે.

ફેબ્રુઆરી મહિનામાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડાએ પાર્ટી છોડતા ભારે ચર્ચા જાગી હતી. રાજુકરપડા સાથે તેમના ૫૦ થી વધુ સમર્થકોએ પણ આમ આદમી સાથે છેડો ફાડ્યો હતો. તેના બાદ તેમનાકોંગ્રેસમાં જોડવાની વાત વહેતી થઈ હતી. પંરતું હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે.

રાજુ કરપડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે તેવી શક્યતા

કમલમ ખાતે રાજુ કરપડાએ કેસરિયા કર્યા છે. ત્યારે પક્ષપલટાથી સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફાયદો થઈશકે છે. સાથે રાજુ કરપડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે તેવી શક્યતા પણ પ્રબળ લાગી રહી છે.

ભાજપનો ખેસ પહેર્યા બાદ રાજુ કરપડાએ કહ્યું કે, ૨૦૧૭૧૮ થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતોહતો. ત્યાર પછી ૨૦૨૧ માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો. એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા. અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર વસવાટ કરી રહીનેગામડાઓ માંગે ને ગામડા તૂટે નહીં.

ખેડૂતો મજબૂત સંગઠન બનાવી નાનામોટા ખેડૂતના પ્રશ્નો હોય તો એનેવાર્તા કેવી રીતે આપી શકા. સપનું જોઈએ અને ચોક્કસ પાર્ટીની અંદર ૨૦૨૧ માં જોડાયા કે મારાખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકીશ. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથીખેડૂતોનો અવાજ બને. સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર તમામ તાલુકાઓમાં જ્યારે જ્યારે પણ કુદરતીઆફત આવી હોય અતિવૃષ્ટિઅનાવૃષ્ટિ તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા.

છેલ્લે જ્યારે હું જેલમાં ગયો ઘણા બધા વિચારો આવ્યો ઘણો બધો મંથન કર્યું ત્યારે એક વાત ચોક્કસથીસમજાઈ કે, ખરેખર જો  ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ. ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે. ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવાય છે.

તેઓએ કહ્યું કે, ખેડુતોના પ્રશ્નને ઉકેલવા માટે સરકાર સાથે ભાજપમાં જોડાયા. ખેડૂતોની સ્થિતિ ૧૦૦ ટકાસારી થઈ નથી. જો  કે ભાજપે ખેડુતોને પેકેજ આપ્યું છે તે ક્યારેય થયું નથી.

તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ટિકિટ વિશે રાજુ કરપડાએ જવાબ આપ્યો કે, જે પક્ષમાં હતો ત્યારે પણટિકિટની લાઈનમાં હતો. જાે કે હવે અહીં વફાદારીથી ભાજપમાં કામ કરીશ. ટિકિટનો મુદ્દો હવે ભાજપ નક્કીકરશે. હું જેલમાં હતો ત્યારે વાત મને સમજાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ધોરાજીના છાડવાવદર ગામમાં ભાજપને ઝટકો લાગ્યો છે. છાડવાવદર ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ભારતીય જનતા પાર્ટીના ૫૦ થી વધુ કાર્યકરો ભાજપને રામરામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તમામને કોંગ્રેસના ખેસ પહેરાવીનેઆવકાર્યા.

ધોરાજી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના ગઢમાં ભાજપમાં ગાબડું  પાડવામાં પૂર્વ ધારાસભ્ય લલિતવસોયા સફળ રહ્યાં. છાડવાવદર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો ભાજપને રામરામ કરીનેકોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ખળભળાટ છવાયો છે. વિકાસના કામો બાબતે ભાજપે અન્યાય અનેકાર્યકરોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે તમામ કાર્યકર્તાઓએ ભાજપને રામ રામ કર્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.