પત્નિએ પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ નોંધાવી
પતિ મોડા આવતા પત્નિએ સવાલો કર્યા હતા જેમાં પતિ ઉશ્કેરતા પત્નિ ફટકારી : પત્નિને સવાલો કરવા ભારે પડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
પતિ મોડા આવતા પત્નીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. પત્નીની આવી વાત સાંભળી પતિ ઉશ્કેરાયો હતો અને તેને ફટકારી હતી. જેથી પત્નીને સારવાર માટે એલજી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. જેથી આ મામલે પત્નીએ પતિ, સાસુ-સસરા સામે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પતિ સાથે સાસરીમાં રહેવા ગઇ હતી પરંતુ સાસરીયાએ રાખવાનો ઇન્કાર કરતા તે ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી હતી. ચાર મહિના પતિ સાથે રહ્યાં બાદ યુવતીની માતાને ફેક્ચર થતા તે પિયર ગઇ હતી. આ દરમિયાન સાસુ-સસરા સહિતના લોકોએ પતિની ચઢામણી કરી હતી. જેથી યુવતિ પિયર હતી ત્યારે પતિએ તેને જાણ કર્યા વગર મકાન ખાલી કરી દીધુ હતુ અને તમામ વસ્તુ લઇ માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ યુવતી ફરી પતિ સાથે રહેવા આવી હતી. ત્યારે સાસુ-સસરા નીચેના માળે રહેતા અને યુવતી પતિ સાથે ઉપરના માળે રહેતી હતી. યુવતી બીમાર પડતા તેની સારવાર કરાવાની જગ્યાએ સાસુ સસરાએ મારામારી કરી કહ્યું હતું કે, તું કાયમ બીમાર જ રહે છે તારુ અહીંયા કોઇ જ કામ નથી તેમ કહી કાઢી મુકી હતી. જેથી યુવતી પિયર રહેતી હતી. યુવતી સ્વસ્થ થતા પતિ તેને ફરી સાસરીએ લઇ આવ્યો હતો અને તે પરત સાસરે ગઇ હતી. ત્યારે પતિ સહિતના લોકો ત્રાસ આપતા હતા અને મારા મારી કરતા પાસડીમાં ઇજા થઇ હતી. જેથી આ મામલે તેણે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે સમાધાન કરી લીધુ હતુ અને પરત રહેવા લાગી હતી. ૧૧ સપ્ટેના રોજ રાત્રે પતિ ઘરે પરત આવ્યા ત્યારે યુવતીએ પુચ્છા કરી હતી કે, કેમ મોડુ થયું, મારો ફોન કેમ નથી ઉપાડતા. આટલું કહ્યાં બાદ પતિ ગુસ્સે થયા હતા અને બિભત્સ ગાળો બોલી મારા મારી કરવા લાગ્યા હતા. જેથી ઇજા થતા તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી આ મામલે ખોખરા પોલીસ મથકમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...