કોંગ્રેસના ૫૦ જેટલા નેતાઓ ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો

Share this Article:

કોંગ્રેસ નેતા નિટ્ટુ માન પણ ભાજપમાં જોડાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

હરિયાણામાં ૨ માર્ચે નાગરિક ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા કરનાલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ૫૦ જેટલા નેતાઓ ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો મળ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી પણ હાજર હતા.

ભાજપમાં સામેલ થયેલા નેતાઓમાં હરિયાણા લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ ત્રિલોચન સિંહ, કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશોક ખુરાના, કરનાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ બલવિંદર કાલરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપ નેતા સંજય બિંદલ, કોંગ્રેસ ર્ંમ્ઝ્ર સેલના જિલ્લા અધ્યક્ષ સંજય ચંદેલ અને ઘણા પૂર્વ કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતા નિટ્ટુ માન પણ ભાજપમાં જોડાયા છે.

કરનાલ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓના આગમનથી પાર્ટી મજબૂત થશે. અહીંથી ભાજપે રેણુ બાલા ગુપ્તાને મેયરના ઉમેદવાર બનાવ્યા છે. સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું, ‘હું બીજેપી નેતાઓનું સ્વાગત કરું છું. તમારા સહયોગથી અમારી તાકાત વધશે અને અમે સંપૂર્ણ સમર્પણ સાથે જનતાની સેવા કરી શકીશું. આ નેતાઓએ કોંગ્રેસ છોડ્યા બાદ પાર્ટીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.’

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, પૂર્વ ડેપ્યુટી મેયર મનોજ વાધવાને મેયરના ઉમેદવાર બનાવવામાં આવતા લોકો નિરાશ થયા છે. પાર્ટીના લોકો તેમને પસંદ નથી કરતા અને આ કારણે તેમણે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ છોડવાના સમાચાર બાદ પાર્ટીના નેતાઓ પણ બળવાખોરોને મળ્યા હતા. મેયરના ઉમેદવાર મનોજ વાધવા પોતે અનેક આગેવાનોના સ્થળોએ પહોંચીને તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.

જોકે, તેના પ્રયત્નોની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. તેમને ઉમેદવાર બનાવવાથી નારાજ નેતાઓએ કહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે અને બપોરે યોજાયેલા કાર્યક્રમમાં સભ્યપદ લઈ લેશે. ત્રિલોચન સિંહે કહ્યું કે, હું ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસ હવે જનહિતના મુદ્દાઓથી ભટકી રહી છે. એટલા માટે મેં પાર્ટી છોડી દીધી છે. આ દરમિયાન તેમણે બે વખત ચૂંટણી લડવાની તક આપવા બદલ કોંગ્રેસ નેતૃત્વનો આભાર માન્યો હતો. આ સિવાય તેમને લઘુમતી આયોગના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા.

જ્યારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે ભાજપે નેતાઓ પર દબાણ કર્યું છે. આ કારણે ત્રિલોચન સિંહ સહિત અનેક લોકોએ રાજીનામું આપી દીધું છે. મનોજ વાધવાએ કહ્યું કે ત્રિલોચનસિંહે મારી પીઠમાં છરો માર્યો છે. મનોજ વાધવાએ કહ્યું, ‘ત્રિલોચન સિંહે મારી પીઠમાં છરો માર્યો છે. ઉમેદવારી પત્ર ભરવા સુધી તેઓ તેમની સાથે હતા. આ પછી, તેણે બીજા જ દિવસે પક્ષ બદલી નાખ્યો.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.