Last Updated on by Sampurna Samachar
ઘરકંકાસના કારણે આ પગલુ ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં વધુ એક આઘાતજનક ઘટનામાં સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. જય પટેલે દવાનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો છે.
મળતી માહિતી અનુસાર કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા તેમના નિવાસસ્થાને આ દુર્ઘટના બની છે.પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને આપઘાતનું કારણ જણાવાયું છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ આરોગ્ય ક્ષેત્રમાં અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ડૉ. જય પટેલના અચાનક અંતકાળે તેમના પરિવાર, મિત્રો અને સહકર્મચારીઓને ગંભીર આઘાત લાગ્યો છે.