કેટલાય ક્રિકેટરો રણજી ટ્રોફીના બીજા તબક્કામાં પોતપોતાની ટીમો માટે રમશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
BCCI ની સલાહ બાદ અનુભવી ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઘરેલુ ક્રિકેટ રમવાનો ર્નિણય કર્યો છે. ત્યારે રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે દિલ્હી સામે મેચ રમી શકે છે. રવિન્દ્ર જાડેજાએ રાજકોટમાં ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રની નેટ પ્રેક્ટિસમાં જોડાયો હતો અને તે ટીમ સાથે પ્રશિક્ષણ કરી રહ્યો છે જેનું નેતૃત્વ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ કરશે. રવિન્દ્ર જાડેજાની ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજા છેલ્લીવાર જાન્યુઆરી ૨૦૨૩માં રણજી ટ્રોફીમાં તમિલનાડુ સામે સૌરાષ્ટ્ર તરફથી રમ્યો હતો. ઘૂંટણની ઈજામાંથી સાજા થયા બાદ આ તેની પ્રથમ મેચ હતી, જેમાં તેણે આઠ વિકેટ ઝડપી હતી.
તાજેતરમાં, તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાંથી ત્રણ મેચ રમી હતી. આ શ્રેણીમાં ભારત ૧-૩ થી હારી ગયું હતું. આ પછી BCCI એ ૧૦ પોઈન્ટની નવી નીતિ બનાવી છે, જેમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ફરજિયાત કરવામાં આવ્યું જેનું પાલન કરવામાં નિષ્ફળતા આંતરરાષ્ટ્રીય પસંદગી અને કેન્દ્રીય કરારને અસર કરી શકે છે. સૌરાષ્ટ્ર હાલમાં ૧૧ પોઈન્ટ સાથે એલિટ ગ્રુપ ડીના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. તેમની આગામી મેચ ૨૩ જાન્યુઆરીએ નીરંજન શાહ સ્ટેડિયમમાં દિલ્હી સામે થશે. દિલ્હી ૧૪ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
રવિન્દ્ર જાડેજા સિવાય ઘણા ભારતીય ખેલાડીઓ કે જેઓ ઇંગ્લેન્ડ સામેની T૨૦ શ્રેણી માટે ટીમમાં પસંદ નથી થયા તે રણજી ટ્રોફીના બીજા તબક્કામાં પોતપોતાની ટીમો માટે રમશે. ઋષભ પંત રાજકોટમાં દિલ્હી તરફથી રમશે. જ્યારે, ભારતના ટેસ્ટ અને ODI કેપ્ટન રોહિત શર્મા અને ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ એમસીએ ગ્રાઉન્ડ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જમ્મુ અને કાશ્મીર સામે મુંબઈ તરફથી રમશે. ર્ંડ્ઢૈં વાઇસ કેપ્ટન શુભમન ગિલ કર્ણાટક સામે પંજાબ તરફથી રમી શકે છે. કર્ણાટક તરફથી રમતા કેએલ રાહુલ ઈજાના કારણે આ મેચમાં રમી શકશે નહીં. વિરાટ કોહલી ગરદનની ઈજાને કારણે દિલ્હી માટે બાકીની રણજી ટ્રોફી મેચોમાં ભાગ લેશે નહીં.