Last Updated on by Sampurna Samachar
અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શ્રેષ્ઠિઓ રહ્યા ઉપસ્થિત
ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૯૦૦ જેટલાં યુગલનાં લગ્ન કરાવ્યાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના સાયન્સ સિટી સર્કલ પાસેના સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નોત્સવમાં ૯ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ આયોજન અંગે રાકેશભાઈ આર શાહ, ટ્રસ્ટી,સર્વિસ JCG સોશિયલ ટ્રસ્ટ એ જણાવ્યું કે, આનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પૂરી પાડવાનો તેમજ સમાજમાં સરળ, સદભાવપૂર્ણ અને ખર્ચાળ વિધિથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે.

લગ્નોત્સવમાં યુગલ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના જાન આગમનથી કન્યા વિદાય સુધી સંપૂર્ણ જૈન શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવાય છે. દરેક યુગલની અલાયદી ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા હોય છે. બંને પક્ષ અંગત સ્વજનોને લાવી શકે એ માટે કુલ ૪૦ જેટલા ફ્રી પાસ પણ અપાય છે.લગ્ન કચેરીમાં નોંધણી કરી શકાય એ માટે યુગલો પાસેથી આવશ્યક દસ્તાવેજો લઇ લગ્નનું પ્રમાણપત્ર મળે તેવું આયોજન કરવામાં આવે છે.
શિક્ષિત અને સુધારાવાદી યુગલો પણ જોડાય છે
ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૯૦૦ જેટલાં યુગલનાં લગ્ન કરાવ્યાં છે. લગ્નોત્સવમાં માત્ર આર્થિક રીતે અસક્ષમ જ નહીં, શિક્ષિત અને સુધારાવાદી યુગલો પણ જોડાય છે. આ આયોજન સમાજના ઉદાર દાતાઓના આર્થિક યોગદાન અને સંસ્થાના કાર્યકારોના સહકારથી સફળતા પૂર્વક થાય છે. ઘણા કિસ્સામાં યુગલોનાં સ્વજનો પણ ફાળો આપતાં હોય છે.
આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૯૦૦ જેટલાં યુગલનાં લગ્ન કરાવ્યાં છે. લગ્નોત્સવમાં માત્ર આર્થિક રીતે અસક્ષમ જ નહીં, શિક્ષિત અને સુધારાવાદી યુગલો પણ જોડાય છે. આ આયોજન સમાજના ઉદાર દાતાઓના આર્થિક યોગદાન અને સંસ્થાના કાર્યકારોના સહકારથી સફળતા પૂર્વક થાય છે. ઘણા કિસ્સામાં યુગલોનાં સ્વજનો પણ ફાળો આપતાં હોય છે. આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.