૧૦ મિનિટમાં ૧૦૦ એરસ્ટ્રાઈક, ૨૫૦થી વધુના મોત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈરાનઅમેરિકા સીઝફાયરમાંવિલનબન્યું ઈઝરાયલ

સીઝફાયરની જાહેરાત થઈ તે દિવસે ઈઝરાયલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યોછે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરની જાહેરાત કરવામાંઆવી હોવા છતાં, પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાને બદલે વધી રહ્યો હોય તેમ જણાય છે. સીઝફાયરનીજાહેરાત થઈ તે દિવસે ઈઝરાયલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે.

ઈઝરાયલી સેનાએ માત્ર ૧૦ મિનિટમાં ૧૦૦થી વધુ સ્થળોએ બોમ્બમારો કર્યો હતો, જેમાં ૫૦થી વધુ લડાયકવિમાનો જાેડાયા હતા. ભીષણ હુમલામાં લેબેનોનની રાજધાની બેરૂત, બેકા ઘાટી અને દક્ષિણ લેબેનોનનારહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેને લેબેનોનના રાષ્ટ્રપતિએનરસંહારગણાવ્યો છે.

અમેરિકાઈરાન યુદ્ધ વિરામમાં ઈઝરાયલ સૌથી મોટો અવરોધ

લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષમાં સૌથી લોહિયાળ દિવસ સાબિત થયો છે. હુમલાઓમાં અત્યાર સુધીમાં ૨૫૪થી વધુ લોકોના મોત થયાછે અને ૧૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. મલબા નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાથી મૃત્યુઆંકવધવાની આશંકા છે.

આક્રમકતા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું અમેરિકાઈરાન યુદ્ધ વિરામમાં ઈઝરાયલ સૌથી મોટો અવરોધ બની રહ્યું છે. લેબેનોનના રાષ્ટ્રપતિએ રોષે ભરાતા કહ્યું હતું કે, ઈઝરાયલ તમામમાનવીય મૂલ્યોની નેવે મૂકીને શાંતિના પ્રયાસોને નજરઅંદાજ કરી રહ્યું છે.

ગંભીર સ્થિતિ વચ્ચે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે લેબેનોન યુદ્ધ વિરામનો ભાગ નથીઅને હિઝબુલ્લાહ સામેની કાર્યવાહી ચાલુ રહેશે. બીજી તરફ, ઈરાને આક્રમક વલણ અપનાવતા હોર્મુઝ સ્ટ્રેટબંધ કરી દીધો છે અને ચેતવણી આપી છે કે જાે લેબેનોન પર હુમલા નહીં અટકે તો તેઓ યુદ્ધ વિરામકરારમાંથી પાછળ હટી જશે.

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી અને પ્રમુખ મસૂદ પેજેશ્કિયાનનુંકહેવું છે કે લેબેનોનમાં યુદ્ધવિરામ કરારની મુખ્ય શરત હતી અને જો  અમેરિકા તેની પ્રતિબદ્ધતાઓપાળવામાં નિષ્ફળ રહેશે તો શાંતિના પ્રયાસો ખોરવાઈ જશે.

વૈશ્વિક સ્તરે પણ હુમલાની આકરી ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સોશિયલમીડિયા દ્વારા શાંતિની અપીલ કરતા જણાવ્યું હતું કે, યુદ્ધવિરામના ઉલ્લંઘનના સમાચારો શાંતિ પ્રક્રિયાનેનબળી પાડી રહ્યા છે. તેમણે તમામ પક્ષોને સંયમ જાળવવા અને આગામી બે સપ્તાહ સુધી સમજૂતીનું સન્માનકરવા વિનંતી કરી છે, જેથી રાજદ્વારી રીતે સંઘર્ષનો કાયમી ઉકેલ લાવી શકાય. હાલમાં બેરૂતમાં થયેલાપ્રચંડ વિસ્ફોટો અને ઈઝરાયલની હઠના કારણે સમગ્ર વિસ્તારમાં ફરીથી મોટા યુદ્ધના વાદળો છવા

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.