Last Updated on by Sampurna Samachar
આ ર્નિણયથી તે ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહન મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો માટે એક મોટો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગત સમારોહમાં ખેડૂતોએ મૂકેલી અરજીઓ વાંચીને ખેડૂતોને લગતો આ ર્નિણય લીધો છે.
આ ર્નિણય હેઠળ જે ખેડૂતોની જમીન સરકારી પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે અને જેઓ તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાને કારણે બિનખેડૂત બન્યા હતા. હવે તેમને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ ર્નિણયથી તે ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહન મળશે. જેમની જમીન રાજ્ય સરકારના પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે. આ ઉપરાંત જે ખેડૂતના ખાતામાં માત્ર એક સર્વે નંબર બાકી હતો તે ખેડૂત ખેતી વગર રહી ગયો હતો. આવા કિસ્સાઓમાં તેમણે ખેતી માટે જમીન ખરીદવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. કારણ કે ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ નહોતી. આવી રજૂઆતો ખેડૂતો દ્વારા વારંવાર મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ર્નિણય કર્યો છે કે અંતિમ સર્વે બાદ જો કોઈ ખેડૂત કૃષક પ્રમાણપત્ર માંગે તો તેની ખેતીની જમીનનો સીરીયલ નંબર પણ બિનખેતીનો હોવો જોઈએ. જો આવી જમીન બંજર બની જાય તો એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદવાની રહેશે. આ સંદર્ભે જે અરજદારો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલા સુધી ખેડૂત ન હતા તેમને પણ આ ર્નિણયનો લાભ મળશે. આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે વધુ એક લાભદાયી ર્નિણય લીધો છે, જે અંગે તેમણે અધિકારીઓને પ્રસ્તાવ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે.